સંયુક્ત રાષ્ટ્રસંઘ અને વિશ્વ આરોગ્ય સંગઠને કોરોનાની ચોથી લહેરને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે.
WHOની મોટી ભવિષ્યવાણી
ઓમિક્રોન-ડેલ્ટા સાથે મળીને મચાવશે તબાહી
આને કારણે આવશે કોરોનાની ચોથી લહેર
કોરોના મહામારી ખતમ થઈ એવું માનવું ગંભીર ભૂલ-યુએન
કોરોના વાયરસનો પ્રકોપ ચોક્કસપણે ઓછો થયો છે પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી તબાહી મચાવનાર કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ભલે શાંત થઈ ગયું હોય પરંતુ તે તેના નવા અવતારની તૈયારીમાં વ્યસ્ત છે. નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોરોના હજુ ખતમ થયો નથી અને આગામી થોડા મહિનામાં વિશ્વને કોરોનાની ચોથી લહેરનો સામનો કરવો પડી શકે છે.
'Grave mistake' to think COVID-19 pandemic is over: UN chief Antonio Guterres
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી હતી કે 'સંકટ (કોવિડ -19 રોગચાળો) સમાપ્ત થઈ ગયો છે તેવું માનવું એક મોટી ભૂલ હશે. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં વાયરસે 60 લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે અને હજુ પણ ત્રણ અબજ લોકો કોરોના રસીના પ્રથમ ડોઝની રાહ જોઈ રહ્યા છે.
ડેલ્ટા + ઓમિક્રોન સાથે મળીને લાવશે તબાબી
એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ડેલ્ટા અને ઓમિક્રોન ભેગા થઈને નવો વાયરસ બનાવી શકે છે અને વૈજ્ઞાનિકોને આના નક્કર પુરાવા મળ્યા છે. ફ્રેન્ચ સંસ્થા પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના અભ્યાસમાં ડેલ્ટા અને ઓમિક્રોન દ્વારા રચાયેલા વાયરસ વિશે નક્કર પુરાવા મળ્યા છે.
WHOની ચેતવણી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આ અભ્યાસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ બંને વેરિઅન્ટ્સ ઝડપથી ફેલાઈ રહ્યા હતા અને આ સંયોજન અગાઉ અપેક્ષિત હતું. જો કે, WHO એ પણ ખાતરી આપી છે કે તેની ગંભીરતા અને ટ્રાન્સમિશન સંભવિતતાને સમજવા માટે ઘણા અભ્યાસ ચાલી રહ્યા છે.
ડેલ્ટા અને ઓમિક્રોનના સંયોજન પર WHOએ શું કહ્યું
ડેલ્ટા અને ઓમિક્રોન સંયોજન વાયરસ ફ્રાન્સના કેટલાક પ્રદેશોમાં ઓળખાયા હતા અને જાન્યુઆરી 2022 ની શરૂઆતથી ફેલાઈ રહ્યા છે. ડેનમાર્ક અને નેધરલેન્ડ્સમાં ખાસ કરીને સમાન રૂપરેખાઓ સાથેના વાયરલ જીનોમની પણ ઓળખ કરવામાં આવી છે.