ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને માત આપીને 43 દર્દી ડિસ્ચાર્જ. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 580 થઈ છે.બુધવાર કરતા 25 કેસ વધુ.
બુધવારની સરખામણીએ વધ્યા કેસ
એક્ટીવ કેસની સંખ્યા પણ વધી છે
અમદાવાદમાં સૌથી વધુ,પછી વડોદરા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને માત આપીને 43 દર્દી ડિસ્ચાર્જ થયા છે.રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 580 થઈ છે. જે બુધવારની સરખામણીએ 25 કેસ વધુ છે. તો કોરોનાગ્રસ્ત 6 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ રહેલા છે.રાહતના સમાચાર એ છે કે, કોરોનાને રાજ્યભરમાં આજે એકપણ મૃત્યુ નથી નોંધાયું. રાજ્યભરમાં અત્યાર સુધી 10100 મૃત્યુ થઈ ચૂક્યા છે. તો ડીસ્ચાર્જ દર્દીઓનો આંક 8,17, 687 પર પહોચ્યો છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા પર રહ્યો છે.
ક્યાં કેટલા કેસ ?
અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 20 કેસ, વડોદરામાં 12, સુરતમાં 10, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 5, નવસારીમાં 5, ભરૂચમાં એક કેસ, જામનગરમાં 3, કચ્છમાં 2, વલસાડમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યભરમાં એક જ દિવસમાં 2.94 લાખ નાગરિકોનું રસીકરણ થયું તો અત્યાર સુધી રસીના 8.64 કરોડથી વધુ ડોઝ અપાઈ ચુક્યા છે.