ગુજરાત અને સમગ્ર દેશમાં રેપીડ એન્ટીજન ટેસ્ટથી કોરોનાનો રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ રેપીડ એન્ટીજન ટેસ્ટને લઇને અગાઉ પણ વિવાદ થઇ ચૂક્યા છે. ત્યારે હવે કોરોના રેપીડ એન્ટીજન ટેસ્ટ સામે ફરી સવાલ ઊઠ્યાં છે. એક જગ્યાએ પોઝિટિવ તો બીજે નેગેટિવ, હવે કયો રિપોર્ટ સાચો અને કયો રિપોર્ટ ખોટો? પરિવારની સૌથી મોટી ચિંતા....
કોરોના રેપીડ એન્ટીજન ટેસ્ટ સામે ફરી સવાલ
નિકોલના ગૌરાંગ ગજેરા નામના યુવકને બે કલાકમાં અલગ અલગ રિપોર્ટ
પરિવાર કયા ટેસ્ટને સાચો માને એ મુદ્દે અવઢવમાં
કોરોના રિપોર્ટમાં પોલંપોલ સામે આવી રહી છે. અમદાવાદના નિકોલના ગૌરાંગ ગજેરા નામના યુવકને બે કલાકમાં અલગ અલગ રિપોર્ટ મળ્યા છે. પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને બાદમાં નેગેટિવ આવ્યો હતો.
નિકોલના ગૌરાંગ ગજેરાના રિપોર્ટમા વિસંગતતા
ગૌરાંગ ગજેરાએ 8 ઓક્ટોબરના રોજ બપોરે બે વાગે રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં યુવકનો પહેલા રિપોર્ટ પોઝિટિવ આવતા તેણે અન્ય જગ્યાએ ટેસ્ટ કરાવ્યો હતો. આ યુવકનો બે કલાક બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બે કલાકમાં જ કોરોના કઈ રીતે નેગેટિવ થાય તે પ્રશ્ન ઊઠ્યાં છે. અમદાવાદ મનપાના કોરોના કેમ્પમાં કોરોનાના અલગ અલગ રિઝલ્ટ સામે આવ્યા છે.
સમગ્ર દેશમાં કોરોનાના રોજના 80 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે, જ્યારે ગુજરાતમાં પણ 1000થી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. તો રાજ્યમાં સૌથી વધુ સુરત અને અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ છે. ત્યારે રેપીડ એન્ટીજન ટેસ્ટના અલગ અલગ પરિણામો લોકોને મૂંઝવણમાં મુકી રહ્યા છે. ત્યારે હવે પરિવાર કયા ટેસ્ટને સાચો માને એ મુદ્દે અવઢવમાં છે.
શું છે અમદાવાદની સ્થિતિ?
અમદાવાદ કોર્પોરેશનમાં આજે 168 કેસ નોંધાયા, જ્યારે જિલ્લામાં 21 કેસ નોંધાયા છે. જેને લઇને આજનો કુલ આંકડો 189 છે. તો આજે અમદાવાદ કોર્પોરેશનમાં 184 દર્દીઓ સાજા થયા છે, જ્યારે જિલ્લામાં 25 દર્દીઓ સાજા થતા આજનો કુલ આંકડો 209 છે. તો આજે જિલ્લામાં 3 કોરોનાના દર્દીઓના મોત થયા છે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 38 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે 33 હજારથી વધુ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 1850 દર્દીઓના મોત થયા છે. હાલ જિલ્લામાં 3534 એક્ટિવ કેસ છે.