સૌરાષ્ટ્રમાં ફરી કોરોનાએ ટેન્શન વધાર્યું છે. રાજકોટમાં એકજ પરિવારના બે સભ્યો પોઝિટીવ આવ્યા, બીજી તરફ પોરબંદરમાં બેંક મેનેજર સહિત 3 લોકો પોઝિટીવ થતા બેંક પણ બંધ કરાવામાં આવી
રાજકોટમાં એકજ પરિવારના 2 સભ્યો પોઝિટીવ
પોરબંદરમાં બેંકના મેનેજર સહિત 3 લોકો પોઝિટીવ
લોકોની બેદરકારીને એકાએક કેસો વધવા લાગ્યા
ગુજરાતમાં કોરોના સંક્રમણ ભલે કાબૂમાં આવ્યું હોય પરંતુ સાવચેતી રાખવી ઘણી જરૂરી છે. લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે. જે બેદરકારી ગંભીર પરિણામ નોતરી શકે છે. ખાસ કરીને લોકો હવે કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા ભૂલ્યા છે. જેમા માસ્ક અને સોશિયલ ડિસટન્સીંગ જેવી ગાઈડલાઈનનું પણ લોકો પાલન નથી કરતા.
દાદા અને પૌત્રનો રિપોર્ટ પોઝિટીવ
આપને જણાવી દઈએ આ બેદરકારીને કારણે સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જે હવે એક ચિંતાનો વિષય બન્યો છે. જો રાજકોટની વાત કરીએ તો અહીયાં તો રાજકોટમાં એકજ પરિવારના બે સભ્યો પોઝિટીવ આવ્યા છે. જેના કારણે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. દાદા અને પૌત્રનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.
પોરબંદરમાં 3 લોકો પોઝિટીવ
બીજી તરફ પોરબંદરમાં પણ બેંક ઓફ બરોડાના મેનેજર સહત 3 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. જેના કારણે બેંકમાં આતા જતા ગ્રાહકો તેમજ અન્ય કર્મચારીઓમાં ચિતાંનો માહોલ છવાઈ ગયો છે. એકાએક 3 લોકો પોઝિટીવ આવતા બેંકની બ્રાંચ પણ હાલમાં થોડાક દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.
મોરબી , ગીર સોમનાથમાં 1-1 કેસ
ઉલ્લેખનીય છે કે મોરબી અને ગીરસોમનાથમાં પણ કોરોનાના 1-1 કેસ નોંધાયા છે. આપને જણાવી દઈએ કે ભલે આ કેસો દરેક જગ્યાએ નાની સંખ્યામાં પરંતુઆ ચિંતાનો વિષય છે. કારણકે એક બે કેસથી શરૂ થઈનેજ સંક્રમણ વદારે પ્રમાણમાં ફેલાતું હોય છે. જેથી લોકોએ હજું પણ સાવધાની રાખવી ઘણી જરૂરી છે. જેમાં ખાસ કરીને માસ્ક અને સોશિયલ ડિસટન્સિંગ જેવા પ્રોટોકોલનું પાલન ખાસ કરવું જોઈએ.