રાજ્યમાં કોરોનાના કેસનો આંક એક દિવસમાં 24,485ને પર પહોંચ્યો છે. જેના પગલે રવિવારથી રાજ્યમાં પ્રતિબંધો વધારી શકે છે.
રાજ્યમાં કેસ વધતા સરકાર ચિંતિત
રવિવારથી રાજ્યમાં વધી શકે પ્રતિબંધો
ટાસ્ક ફોર્સના સભ્ય પણ સમર્થનમાં
હોટલ, કોમ્પલેક્ષ, મલ્ટીપ્લેક્ષમાં પ્રતિબંધ આવી શકે
કોરોનાના કેસ વધતા સસરકાર ચિંતિત
રાજ્યમાં કોરોનાના કેસનો આંક છેલ્લા એક દિવસમાં 24,485ને પર પહોંચ્યો છે. કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. જે જોતા હવે સાવચેત રહેવાની જરૂર છે. વધતા કેસને પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત જોવા મળી રહી છે. જાણે કે પ્રતિબંધો આવશે તેવી વાતો વહેતી થઇ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર કોરોના વધતાં જતા કેસોના પગલે રવિવારથી રાજ્યમાં પ્રતિબંધો વધારી શકે છે. હાલ રાજ્ય સરકાર કોરોનાના અન્ય નિયંત્રણોમાં કોઇ મોટા ફેરફાર કરે તેવી શક્યતા લાગી રહી નથી.
રાજ્યમાં વધી શકે છે પ્રતિબંધો
આ સાથે રાજ્ય સરકાર સામાજિક, રાજકીય પ્રસંગમાં નિયમો કડક બની શકે છે. તેમજ રાજ્યના 12થી વધુ જિલ્લામાં રાત્રી કર્ફ્યૂ લગાવવા વિચારણા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ટાસ્ક ફોર્સના સભ્યો પણ વધુ નિયંત્રણો લગાવવાના સમર્થનમાં છે. આ સાથે હોટલ, કોમ્પલેક્ષ, મલ્ટીપ્લેક્ષમાં નવા નિયમો લાગાવામાં આવી શકે છે. તેમજ સરકારી, ખાનગી ઓફિસમાં 50 ટકા મર્યાદા માટે વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત માસ્ક સહિતના નિયમોના પાલન માટે તંત્ર આકરુ વલણ અપનાવશે
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24485 કેસ નોંધાયા હતા
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસોમાં ત્રીજી લહેરે સપાટો બોલાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24,485 કેસ કોરોના પોઝિટિવ આવતા સરકાર અને તંત્ર વધુ આયોજન કરવા જોતરાઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં 9957 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 3709 કેસ તો રાજકોટમાં 1521 કેસ, વડોદરામાં 3194 કેસ સામે અવાતા ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો 13 લોકોના મોત થયા છે 10,310 દર્દીઓ સાજા થયા છે.