ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વધુને વધુ ઘાતક બનતી જઈ રહી છે ત્યારે વેક્સિનની અછત મુદ્દે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર તીખા પ્રહાર કર્યા છે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો
પીએમ મોદીએ ટીકા-ઉત્સવ મનાવવા કર્યું સૂચન
રાહુલ ગાંધીએ કહ્યું આ સમસ્યા છે કોઈ ઉત્સવ નહીં
રાહુલ ગાંધીએ કહ્યું આ ઉત્સવ નથી
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં ઘણા બધા રાજ્યો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે વેક્સિન આપવા મામલે જુદા જુદા રાજ્યો વચ્ચે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. એવામાં પીએમ મોદીએ કહ્યું છે કે આપણે ટીકા-ઉત્સવ મનાવવો જોઈએ. પીએમ મોદીના આ નિવેદન પર રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે કોરોના સંકટ વચ્ચે વેક્સિનની અછત એ એક ગંભીર સમસ્યા છે, 'ઉત્સવ' નથી. પોતાના દેશવાસીઓને ખતરામાં નાંખીને વેક્સિનની નિકાસ કરવી એ કેટલી યોગ્ય છે? કેન્દ્ર સરકાર બધા રાજ્યોને કોઈ પક્ષપાત વગર મદદ કરે. આપણે બધાએ સાથે મળીને આ મહામારીને હરાવવી પડશે.
11થી 14 એપ્રિલ ત્રણ દિવસ ટીકા ઉત્સવ મનાવીએ : પીએમ મોદી
PM મોદીએ મુખ્યમંત્રીઓને પૂછ્યું કે શું આપણે 11 એપ્રિલ જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ છે અને 14 ડો. આંબેડર જ્યંતિ છે ત્યારે આ ત્રણ દિવસને આપણે રસીકરણ માટે ટીકા ઉત્સવ તરીકે ઉજવીએ. આ ત્રણ દિવસ દરમ્યાન 45થી વધુ ઉંમરની વધુમાં વધુ વ્યક્તિઓને રસી આપીએ. આ દરમ્યાન ઝીરો રસીનો બગાડ થાય તેવું નક્કી કરીએ.
શું હતી ફરિયાદ?
નોંધનીય છે કે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વેક્સિનની અછત જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીએ ગઇકાલે જ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે અમે સૌથી વધારે પરેશાન છીએ અને કેન્દ્ર સરકાર વેક્સિન મામલે ગુજરાત પર મહેરબાન છે. જોકે આ મુદ્દે ભારતના સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જવાબ પણ આપ્યો છે.
કેન્દ્ર સરકારે આપ્યો જવાબ
હર્ષવર્ધને કહ્યું છે કે ડર ખતમ કરો. કોરોના વેક્સિનની 9 કરોડ ડોઝ આપી દેવામાં આવી અને રાજ્યો પાસે 4.3 કરોડનો સ્ટોક છે. અછતનો સવાલ જ ક્યાં ઊભો થાય છે. અમે સતત નજર રાખીએ છે અને અમે સતત સ્ટોક વધારી રહ્યા છે.