ગુજરાત કોરોના અપડૅટ: ગત 24 કલાકમાં 12,911 નવા કેસ સાથે 22 લોકોના મૃત્યુ. રાજ્યમાં હાલ 1,17,884 એક્ટિવ કેસ
કોરોનાના આંકડાઓમાં વિરોધાભાસ
લોકો સંક્રમિત હોવાનું છુપાવી રહ્યા છે
એક ઝાટકે કોરોના કેસો નહીં ઘટે
કોરોના સંક્રમણ વધતા પોઝિટિવ ટોચ પર પહોંચ્યા બાદ ફરીવાર તેમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.ગુજરાતનો આંક 13 હજાર સુધી પહોંચી ગયો છે ત્યારે ત્રીજી પહેર પૂર્ણતા ના આરે હોવાની શક્યતાઓ વચ્ચે એક મોટો ડર સેલ્ફ ટેસ્ટીંગ કીટ નો નિષ્ણાતોને સતાવી રહ્યો છે.અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રોજની હજારો કોરોના ટેસ્ટ સેલ્ફ ટેસ્ટિંગ કીટ થી થઈ રહ્યા છે.જેના આંકડાઓ સામે નથી આવતા કે નોંધણી પણ નથી થઈ રહી.જેથી ખરા આંકડાઓ આના થી પણ વધારે હોઈ શકે છે.
કોરોના સાચા આંકડા સામે નથી આવી રહ્યાં
ICMR ની ગાઇડલાઇન મુજબ લોકો કોરોનાનો ટેસ્ટ પોતાની મેળે ઘરે જ કરી શકે છે.હાલ ગુજરાત અને અમદાવાદમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે એક નવો ટ્રેન્ડ જાતે જ કોરોના ટેસ્ટિંગ કરવાનો શરૂ થયો છે.જેના કારણે મનપા તંત્ર ને ખબર જ નથી હોતી કે કોરોના સંક્રમિતો નો સાચો આંકડો શું છે..? લોકો જાતે જ ટેસ્ટ કરે છે ત્યારે તેમને કોરોન્ટીન થવાનો ડર હોવાથી અનેક લોકો છુપાવે છે.આ સિવાય જે લોકો ટેસ્ટિંગ કરે છે તેઓ ટેક્નિકલ માણસો ના હોવાથી ટેસ્ટિંગ માં ભૂલ થવાના ચાન્સ છે.જેના કારણે જે આંકડાઓ છે એના કરતા સ્થિતિ વધારે અલગ હોઇ શકે છે.કારણ કે અમદાવાદનો પોઝિટીવિટી રેશિયો 30 ટકા જેટલો છે.
સેલ્ફ ટેસ્ટ કિટોનું ધૂમ વેચાણ
કોરોના ટેસ્ટિંગ માટેની લાઈનો માં ઉભા રહેવા, રાત્રે તબિયત બગડી હોય તો બીજા દિવસે 10 વાગ્યા સુધી રાહ જોવા જેવી બાબતો માંથી છુટકારો મળતા અને ઘરે જ માત્ર 250 જેટલી રકમ માં ટેસ્ટિંગ થઈ જતું હોવાથી લોકો સેલ્ફ ટેસ્ટિંગ કીટ નો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે.હજારોની સંખ્યામાં ટેસ્ટિંગ કીટ નું વેચાણ મેડિકલ સ્ટોર માંથી થઈ રહ્યું છે.અંદાજ મુજબ આટલા બધા લોકો એન્ટીજન કીટ નો જાતે જ ઉપયોગ કરી રહ્યા છે તો ઓરીજીનલ આંકડાઓ વધારે હોય શકે છે.નિષ્ણાતો પણ જણાવે છે કે હોમ કોરોન્ટીન રહી ખાનગી હોસ્પિટલ કે તબીબોની સારવાર લઈ રહેલ લોકોની સંખ્યામાં કોઈપણ પ્રકારનો ઘટાડો નથી થઈ રહ્યો.જ્યારે સરકારી આંકડાઓ ઘટતા દેખાઈ રહ્યા છે.જે લગ્ન પ્રસંગ કે જાહેર રાજા ના કારણે પણ હોઈ શકે છે.
સરકાર આ વાતને ગંભીરતાથી લે:નિષ્ણાતો
નિષ્ણાતો ના મતે લોકો જાતે જ ટેસ્ટ કરી રહ્યા છે તેઓ 104 પર ફોન કરીને પોતે કોવિડ સંક્રમિત હોવાનું જણાવતા નથી.જેના કારણે સ્થિતિ વધારે ગંભીર બની શકે છે.આના કારણે સરકાર ડેટા એનાલીસીસીમાં અને લોકો તકેદારી રાખવામાં ગફલત માં રહી શકે છે.
ગુરુવારે 12,911 કેસ સામે આવ્યા
ગુજરાતમાં ત્રીજી લહેરની પીક હવે સમાપ્ત થઈ હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 12,911 કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્રને લોકો હવે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 4405 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત 708 શહેરમાં કેસ તો રાજકોટ 1008 શહેરમાં કેસ, વડોદરા શહેરમાં 1871 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 364 કેસ, ભાવનગર શહેરમાં 233 કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઇ જશે તેઓ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાને લીધે 22 લોકોએ દમ તોડ્યો છે જ્યારે 23,197 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 1,17,884 સંખ્યા સુધી પહોંચી ગઈ છે.