વિશ્વમાં હાલ કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કેટલાક દેશોમાં કોરોનાને લઇને ફરી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સહિત ભારતમાં હાલ કોરોનાને લઇને રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા ઘણા સમય બાદ રાજ્યમાં એક દિવસમાં 900થી ઓછા નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો
એક દિવસમાં ગુજરાતમાં કોરોનાના 860 નવા કેસ
કોરોના સામેનો રિકવરી રેટ 90.47 ટકા
ગુજરાતમાં હાલ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 860 કેસો સામે આવ્યાં છે. જ્યારે 1,128 દર્દીઓ એક દિવસમાં કોરોનાથી સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યાં છે.
આમ રાજ્યમાં કોરોના સામેનો રિકવરી રેટ 90.47 ટકા જોવા મળ્યો છે. જ્યારે રાજ્યમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 12,833 હાલમાં છે. જ્યારે અત્યારે કોરોના કુલ કેસ 1,73,804 થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 5 લોકોના મૃત્યું થયા છે. રાજ્યમાં કુલમૃત્યુ આંક 3,724 થયો છે.
ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત
ભારતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 45,928 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 53 હજાર 312 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી એક દિવસમાં 491ના મૃત્યું થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,22,642 પર પહોંચ્યો છે. જ્યારે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 5,62,329 સહિત કુલ કેસ 82,29,322 થયા છે.
વિશ્વમાં કોરોનાનું સંક્રમણ યથાવત
જ્યારે બીજી તરફ વિશ્વમાં કોરોનાનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યું છે. જેમાં એક દિવસમાં કોરોનાના 4,36,516 નવ કેસ તેમજ 5,300 લોકોના મૃત્યું થયા છે.