કરમાડના આશાવર્કર રમીલાબેન કોરોના પોઝિટીવ આવતા વીડિયો મારફતે જણાવ્યું, મેં લોકોની સેવા કરી પણ મારુ સાંભળનાર કોઈ નથી
ભરૂચના જંબુસરના આશાવર્કનો વીડિયો વાયરલ
કરમાડ ગામના આશાવર્કર રમીલાબેન કોરોનાગ્રસ્ત છે
મેં લોકોની સેવા કરી, મારુ સાંભળનાર કોઈ નથી: આશાવર્કર
ભરૂચના જંબુસર તાલુકામાં એક આશાવર્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમની સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા ન મળતા તેમને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. કરમાડના રમીલાબેને જણાવ્યું, મેં લોકોની સેવા કરી પણ મારુ સાંભળનાર કોઈ નથી. આ સાથે તેમને કોરોનાની સારવાર માટે PM અને CMને વીડિયો વાયરલ કરી રજૂઆત કરી હતી.
કોરોનાના વધતા કહેરને લઇ CM રૂપાણીનું નિવેદન
સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. દેશમાં 1.35 લાખ જેટલા કેસ દરરોજ આવે છે. ગુજરાત પણ કોરોના સંક્રમણના ભરડામાં છે. ગઈકાલે 4500થી વધુ કેસ નોંધાયા છે. સરકાર લોકોને સારવાર આપવા કટિબદ્ધ છે. ઓછા લોકો સંક્રમિત થાય તેવા પ્રયાસ થઈ રહ્યા છે. સંક્રમિતોને તાત્કાલિક સારવાર મળે તે પ્રાથમિકતા છે. યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે વધુ કામ કરવું પડ્યું છે.
એક સપ્તાહમાં 15 હજાર બેડની ક્ષમતા વધારી છે. 6700 ઓક્સિજન બેડ ઉભા કર્યા છે. ICU વધારીને 3100 બેડ કરવામાં આવ્યા છે. 965 વેન્ટિલેટરનો વધારો કર્યો છે. અમદાવાદમાં 5 હજાર બેડનો વધારો કર્યો છે. સુરતમાં 4 હજાર, વડોદરામાં 3500 બેડનો વધારો કર્યો છે. 4 મનપા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના વિસ્તારમાં વધુ સંક્રમણ છે.
CM રૂપાણીએ ધન્વંતરી રથનું લોકાર્પણ કર્યું હતું.
રથમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે. કોરોના માટેનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. ડાયાબિટિસ, બ્લડ સુગર, હિમોગ્લોબીનનો ટેસ્ટ પણ કરાશે. ધન્વંતરી રથ દ્વારા જ દર્દીઓને દવાઓ પણ અપાશે. અમદાવાદમાં હાલમાં 35 ધન્વંતરી રથ કાર્યરત છે. લોકોમાં સંક્રમણ વધી જાય તે બાદ તે દવાખાને આવે છે જેને કારણે મોત થાય છે એટલે આ મામલે જો પહેલેથી જ ટેસ્ટ કરી લેવામાં આવે તો કોરોનાથી મોત અટકાવી શકાય.