કોરોનાને હળવાશથી લઈ રહેલા લોકોને વિશ્વ આરોગ્ય સંગઠને એક મોટી ચેતવણી આપી છે.
વિશ્વના દેશો કોરોનાને લઈ રહ્યાં છે હળવાશથી
વિશ્વ આરોગ્ય સંગઠને આપવી પડી ચેતવણી
કહ્યું કે ખોટી જાણકારીને કારણે વધી રહ્યાં છે કેસ
દુનિયાભરના દેશોમાં વધી રહેલા કોરોના કેસની વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય ટેકનીકલ અધિકારી મારિયા વાન કેરખોવે કહ્યું કે ખોટી માહિતીના ફેલાવાને કારણે ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી વધ્યું છે.
મહામારીને લઈને ઘણા પ્રકારના ભ્રમ ફેલાવાઈ રહ્યાં છે
મારિયાએ કહ્યું કે દુનિયાભરમાં કોરોના મહામારીને લઈને ઘણા પ્રકારના ભ્રમ ફેલાવાઈ રહ્યાં છે. લોકોમાં એવો ભ્રમ ફેલાવાઈ રહ્યો છે કે કોરોના મહામારી ખતમ થઈ છે. ઓમિક્રોન ઘણો હળવો છે અને ઓમિક્રોન કોવિડ-19નો છેલ્લો વેરિયન્ટ છે. આ પ્રકારની ખોટી માહિતીને કારણે કોરોનાએ ઝડપી પકડી છે. તેમણે કહ્યું કે પ્રચાર તો એવી રીતે કરવામાં આવી રહ્યો છે કે જાણે કોરોના મહામારી પૂરી ન થઈ ગઈ હોય. ઓમિક્રોન છેલ્લો વેરિયન્ટ છે આ પ્રકારની ખોટી માહિતીને કારણે કોરોના વકર્યો છે.
ચીન અને યુરોપિય દેશોમાં કોરોના ફરીથી ઝડપથી વધી રહ્યો છે
ચીન અને યુરોપિય દેશોમાં કોરોના ફરીથી ઝડપથી વધી રહ્યો છે, જેને લઈને હવે ચોથી લહેર આશંકા વ્યક્ત કરાઈ રહી છે. કોરોનાના વધતાં કેસો મામલે ઓમિક્રોનના સબવેરિએન્ટ કારણ હોવાનું માનવામાં આવે છે. ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA2 દક્ષિણ કોરિયામાં કોરોનાના કેસોમાં ભારે વધારો થયો છે. તો વળી બ્રિટેન અને કેટલાય અન્ય યુરોપિય દેશોમાં એક જ દિવસમાં 6 લાખથી વધારે કેસો સામે આવ્યા છે. જો કે, ભારતમાં હાલમાં નવી લહેર આવવાને લઈને ભારતીય નિષ્ણાંતો હાલમાં ચિંતિત નથી.
ઓમિક્રોનના 50થી વધારે મ્યૂટેશન
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના 50થી વધારે મ્યૂટેશન થઈ ચુક્યા છે. તેનાથી દુનિયાભરમાં ખળભળાટ મચેલો હતો, જ્યારે નવેમ્બર 2021માં પહેલી વાર દક્ષિણ આફ્રિકામનાં તેની જાણ થઈ હતી. આ વેરિએન્ટ બહું વધારે સંક્રામક હતો. આ જ કારણે હોસ્પિટલમાં ભરતી થનારા લોકોની સંખ્યામાં વધારા સાથે મોટી સંખ્યામાં લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો. એક્સપર્ટ કહે છે કે, વેક્સિનેશનના કારણે આ વેરિએન્ટ સ્થિતિમાં ખૂબ જ સુધારો થયો.