એક અભ્યાસ પ્રમાણે ઉંચી બિલ્ડીંગમાં રહેતા લોકોને કોરોના થવાની શંકા વધારે છે, કેમ કે તેઓને એક જ જગ્યાએથી પાણી સપ્લાય થાય છે. પાણી અને ગટર લાઈનથી કોરોના ફેલાવવાની વધુ સંભાવના છે. આ ખુલાસો સ્કોટલેન્ડની હેરિયટ વોટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યો છે.
કોરોનાને લઇને વધુ એક ખુલાસો
ઊંચી ઇમારતમાં રહેતા લોકોને કોરોનાનું સંક્રમણ થવાના ચાન્સ વધી શકે
હેરિયર વોટ યુનિવર્સિટીમાં વોટર એકેડેમીના ડાયરેક્ટર માઈકલ ગોમ્લ્રે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉંચી ઈમારતોમાં રહેતા લોકોને કોરોનાનો ખતરો સૌથી વધુ છે.કેમ કે, પાણી સપ્લાય તેમણે એકજ જગ્યાએથી થતું હોય છે. આ ખતરો હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ માટે પણ છે.
પાણી સપ્લાય દ્વારા કોરોનાનો ફેલાવો પણ શક્ય છે
એક અહેવાલ પ્રમાણે માણસથી માણસમાં થતો કોરોનાનો ફેલાવો સમાન્ય બાબત છે, જ્યારે પાણી સપ્લાય દ્વારા કોરોનાનો ફેલાવોએ એક અસામાન્ય બાબત છે પરંતુ સંભવત થઇ શકે એવી વાત છે.
૨૦૦૩ માં હોંગકોંગની ઇમારતમાં બની હતી આવી ઘટના
માઈકલ ગોમલ્રે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ ઈમારતની પ્લમ્બિંગ પાઈપમાં વાઈરસનું સંક્રમણ ફેલાય તો એ ઘણી ચિંતાજનક બાબત છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ૨૦૦૩ માં હોંગકોંગના એમઓય ગાર્ડેન્સ નામની ઈમારતમાં સાર્સ વાઈરસ આ રીતેજ ફેલાયો હતો.
કોરોના વાઈરસ પણ સાર્સ વાઇરસની જેમજ ફેલાઈ રહ્યો
એમઓય ગાર્ડેન્સમાં 33 થી 41 ઇમારતો હતી, જેમાં ૧૯૦૦૦ લોકો રહેતા હતા. જયારે સાર્સ વાઈરસ ફેલાયો ત્યારે આ ઇમારતોમાં રહેતા લોકોમાંથી ૩૦૦ લોકો સંક્રમિત થયા હતા તેમજ 42 લોકો મૃત્યુ પામ્યા હતા. WHOના રીપોર્ટ પ્રમાણે આ ઇમારતોમાં સાર્સ મહામારી પાણી સપ્લાયની પાઇપ્લાઇન દ્વારાજ ફેલાયો હતો.
માઈકલ ગોમલ્રે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાઈરસ પણ સાર્સ વાઇરસની જેમજ ફેલાઈ રહ્યો છે.