અમેરિકન વાયરોલોજીસ્ટ અને વૈજ્ઞાનિકે આગાહી કરી છે કે માણસ અને કોરોના વચ્ચેની આ શતરંજની રમતમાં આપણો વીજય હવે નજીક છે. તેમણે ભારતની COVAXIN ના વખાણ પણ કર્યા હતા.
મહામરીનો અંત નજીક
જલ્દી જ માસ્કથી મળશે છુટકારો
શતરંજના આ ખેલમાં કોઈ વિજેતા નથી
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોને આખી દુનિયામાં કહેર મચાવી રાખ્યો છે. ભારત સહિત દુનિયાભરમાં કેટલાક દેશો આ સંક્રમણથી પરેશાન છે. કોરોના વાયરસનો આ નવો વેરિયન્ટ જેટલી ઝડપથી લોકો સુધી જે ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે તે જોતાં સામાન્ય લોકોમાં ભયનો માહોલ છે. પણ આ તમામની વચ્ચે એક રાહતના સમાચાર છે.
તાજેતરમાં વોશિંગ્ટનનાં એક વૈજ્ઞાનિક અને વાયરોલોજીસ્ટ ડો. કૂતુબે કહ્યું હતું કે આ મહામારી હંમેશ માટે નથી ચાલવાની. તેનો અંત હવે નજીકમાં જ છે. અને ડો. કૂતુબે એમ પણ હતું કે શતરંજના આ ખેલમાં કોઈ વિજેતા નથી. આ એક ડ્રો મેચ જેવી છે. જેમાં વાયરસ છુપાઈ જાય છે અને આપણે વાસ્તવમાં જીતીશું જ.
જલ્દીથી માસ્કથી મળશે છુટકારો
તેમણે કહ્યું હતું કે આપણે આ જંગ જીતવાના છીએ અને આપણને સૌને જલ્દીથી માસ્કથી છુટકારો મળશે. આશા છે કે આપણે સૌ ફરીથી આગળ વધીએ.
ભારતે 16 જાન્યુઆરી 2021 ના દિવસે શરૂ થયેલ રાષ્ટ્રવ્યાપી કોરોના વેકસીનેશન અભિયાનના પહેલા વર્ષ પૂરા થવા પર 156 કરોડ લોકોને વેક્સિન લગાવીને એક રેકોર્ડ બનાવ્યો છે. આ બાબતે તેમણે કહ્યું હતું કે કોરોનાથી લડવા માટે વેક્સિન એક જ સૌથી શક્તિશાળી હથિયાર છે. તેમણે કહ્યું હતું કે આપણી પાસે વેક્સિન, એન્ટિ વાયરલ અને એન્ટિબોડી જેવા હથિયારો છે જેનો ઉપયોગ કરીને આપણે વાયરસ સામે જીતી શકીશું.
ભારત બાયોટેકની કોવેક્સિનના વખાણ
વાયરોલોજીસ્ટ ડો. કૂતુબે કહ્યું હતું કે શતરંજની રમતની જેમ વાયરસ પણ પોતાની ચાળ ચાલી રહ્યો છે અને આપણે માણસો પણ એની સામે પોતાની ચાલ ચાલી રહ્યા છીએ. આપણી ચાલ થોડી નાની છે જેમ કે માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું. જો બધાનું વેકસીનેશન થઈ ગયું હશે તો આપણે આવનાર તમામ વાયરસથી સુરક્ષિત થઈ જઈશું એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
ડો. કૂતુબે ભારત બાયોટેકની કોવેક્સિનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આ એક સારી ડોમેસ્ટિક પ્રોડક્ટ છે જે ભારત સરકાર અને ભારતીય કંપનીએ બનાવી છે અને તેઓને અભિનંદન છે. આ એક્ સારી વેક્સિન છે અને ક્લિનિકલ દેતાંમાં આપણે જોયું કે 2 વર્ષની ઉંમર સુધી બાળકોમાં તેના ઉત્તમ પરિણામો જોવા મળ્યા છે.