કોરોનાને લઇ અતિગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાને લીધે જીવનું જોખમ તો રહેલું જ છે. પણ જે લોકો સાજા થઈ જાય છે તેમને અઢળક સમસ્યાઓનો સામનો કરવો પડી કહ્યો છે. અનેક સ્વાસ્થ્યની સમસ્યાથી તેઓ પીડાઈ રહ્યા છે. જેને પગલે સરકાર દ્વારા પોસ્ટ કોવિડ પલ્મોનરી રિહેબિલિટેશન પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે.
કોરોનાના સાજા થયેલા દર્દીઓને અન્ય બીમારીનું જોખમ
પોસ્ટ કોવિડ પલ્મોનરી રિહેબિલિટેશન પ્રોગામ તૈયાર કરાયો
57 ફિઝિયોથેરાપિસ્ટને તાલીમ અપાઇ
કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થઈ ગયા પછી પણ સમસ્યાઓ પીછો છોડી નથી રહી. તેઓ રોજ બરોજ અવનવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કોરોનામાંથી સાજા થયા બાદ તેઓને અન્ય બિમારીનું જોખમ રહેલું છે.
સાજા થયેલા દર્દીઓના ફેફસામાં અસર જોવા મળી છે. ફેફસામાં ફાઇબ્રોસિસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. દર્દીઓમાં થાક લાગવો, શ્વાસ ચડવો જેવી તકલીફો જોવા મળી રહી છે.
દર્દીઓમાં સ્નાયુઓનો દુખાવો થવાની ફરિયાદો સામે આવી છે. જેને પગલે સરકારે પોસ્ટ કોવિડ પલ્મોનરી રિહેબિલિટેશન પ્રોગામ તૈયાર કરાયો છે. જે અંતર્ગત 57 ફિઝિયોથેરાપિસ્ટને તાલીમ અપાઇ છે. આ દ્વારા કોરોના બાદ જે દર્દીઓને સમસ્યા સર્જાઈ રહી છે તેમની સમસ્યાની સામે લડી શકાય.