ભારતમાં હાલ સુધીમાં 1,25,101 કોરોના વાયરસના સંક્રમિત કેસ નોંધાયા છે. જેમાથી લગભગ ત્રીજા ભાગથી પણ વધારે એક્ટિવ કેસ છેલ્લા 4 દિવસમાં જોવા મળ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 24 કલાકમાં 6654 કેસ નોંધાયા છે. સાથે જ કોરોના સંક્રમિતોની સંખ્યા 1,25,101 થઈ છે. શુક્રવારે કોરોનાથી 137 લોકોના મોત થયા છે. દેશમાં હાલમાં પણ 69,597 પોઝિટિવ કેસ છે જ્યારે 51,783 લોકો સારવાર બાદ ઘરે પહોંચ્યા છે.
દેશમાં પ્રથમ વખત નોંધાયા કોરોનાના 6654 કેસ
દેશમાં કુલ કેસની સંખ્યા 1, 25,101ને પાર પહોંચી
એક્ટિવ કેસની સંખ્યા 69,597ને પાર
શુક્રવારે કોરોનાના કારણે જે લોકોના મોત થયા છે તેમાં મહારાષ્ટ્રમાં 63 મોત થયા છે, ગુજરાતમાં 29 અને દિલ્હીમાં 14 મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ 44582 કેસ નોંધાયા છે જ્યારે તમિલનાડુમાં 14753 નવા કેસ સામે આવ્યા છે. સતત છઠ્ઠા દિવસે મહારાષ્ટ્રમાં વધુ 2000 કેસ સામે આવ્યા છે.
તમિલનાડુમાં છે આવી સ્થિતિ
તમિલનાડુમાં 786 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે સંક્રમણના કારણે રાજ્યમાં કેસની સંખ્યા 14,753 પહોંચી છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે કે શુક્રવારે 4 લોકોના મોત થયા છે. વિભાગે જણાવ્યું છે કે આ સાથે રાજ્યમાં કોવિડથી મૃત્યુ પામનારાની સંખ્યા 98 થઈ છે.
બિહારમાં સંખ્યા વધીને 2177 પહોંચી
દિલ્હીથી બિહાર પહોંચ્યા બાદ થોડા કલાક બાદ જ એક પ્રવાસી શ્રમિકનું મોત થયું હતું. સ્વાસ્થ્ય વિભાગે આ મોત કોરોના વાયરસથી થયું હોવાનું જણાવ્યું છે. તેઓએ કહ્યું કે અહીં સંક્રમણના 195 કેસ સામે આવ્યા છે અને કોરોનાના દર્દીની સંખ્યા વધીને 2177 થઈ છે. અધિકારીના અનુસાર મડતક ખગડિયા જિલ્લાનો હતો અને મંગળવારે વિશેષ ટ્રેનથી આવ્યો હતો.
ઓરિસ્સામાં પણ છે આટલા કેસ
ઓરિસ્સામાં કોરોનાના કારણે ઓછામાં ઓછા 86 લોકો વધુ સંક્રમિત થયા છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 1189 થઈ છે. સ્વાસ્થ્ય વિભાગે શુક્રવારે કહ્યું છે કે 86માંથી 80 અલગ અલગ ભાગોમાં જોવા મળ્યા છે. અધિકારીએ કહ્યું કે નવા કેસમાં એ લોકો છે જે મહારાષ્ટ્ર, ગુજરાત, પ.બંગાળ, તમિલનાડુ, છત્તીસગઢ, હરિયાણા, તેલંગાણાથી પાછા આવ્યા હતા. સંયુક્ત અરબ અમીરાતથી પાછા આવેલા 4 લોકો સંક્રમિત આવ્યા હતા.
ઝારખંડમાં આવ્યા 18 નવા કેસ
ઝારખંડથી આવેલા પ્રવાસીના કારણે કોરોના સંક્રમણ વધવાનો ક્રમ ચાલી રહ્યો છે. કુલ 18 નવા લોકોમાં આ સંક્રમણ જોવા મળ્યું છે. તેમાં પ્રદેશમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 308 થઈ છે. યૂપીમાં શુક્રવારે કોવિડ સંક્રમણથી 14 દર્દીના મોત થયા છે અને સાથે જ મૃત્યુ પામનારાની સંખ્યા 152 થઈ છે. 220 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું છે કે પ્રદેશમાં 5735 કેસ છે તેમાં 2259 સક્રિય કેસ આવ્યા છે. 3324 દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાથે જ હોસ્પિટલથી રજા પણ મેળવી ચૂક્યા છે. સંક્રમણના કારણે રાજ્યમાં 152 લોકોએ જીવ ગુમાવ્યા છે.