બ્રેકિંગ ન્યુઝ
VTV / corona pataint face some problem after recovery
Ronak
Last Updated: 09:28 AM, 30 June 2021
ADVERTISEMENT
કોરોનાને મ્હાત આપ્યા બાદ પણ અમુક લોકોમાં હવે ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. જેમા ખાસ કરીને શ્વાસની સમસ્યા, થાક લાગવો અને હ્રદય સંબધી સમસ્યાઓ લોકોમાં જોવા મળી છે. તો બીજી તરફ ઘણા એવા દર્દીઓ પણ છે કે જેમને પેટ, આંતરડા અને લીવરમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે.
ADVERTISEMENT
પેટ સબંધી સમસ્યાના દર્દીઓ વધારે
જે દર્દીઓને આવી સમસ્યા થઈ રહી છે, તેમાથી અમુકતો એવા પણ છે કે જેમનો એક મહિના પછી ફરી પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. ખાસ કરીને લોકોને પેટ સંબંધી સમસ્યાઓ વધારે થઈ રહી છે. જેમા નાના બાળકોમાં પણ પેટની સમસ્યા જોવા મળી છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે.
તકલીફ થાય તો હળવાશમાં ન લેતા
તબીબોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પેટની સમસ્યાના કેટલાક દર્દીઓ હોસ્પિટલોમાં ઈલાજ માટે ગયા છે. આ બધાજ દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. જેથી કહી શકાય કે કોરોના હ્રદય અને ફેફસા સિવાય શરીરના અન્ય અંગોને પણ નુકશાન પહોચાડે છે. જેથી ડૉક્ટરોનું કહેવું છે કે કોરોનાથી સાજા થયા બાદ શરીરના કોઈ અંગમાં તકલીફ થાય તો તે તકલીફને સામાન્ય ન ગણવી જોઈએ, તેને લઈને તુરંત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ઠીક થયા પછી પણ RT-PCR રિપોર્ટ નેગેટિવ નથી આવતો
એઈમ્સના પૂર્વ ડાયરેક્ટર પ્રવીઁણ કુમારનું કહેવું છે કે કોઈ દર્દીનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવે તો તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે. પરંતુ ઘણા એવા દર્દીઓ પણ છે કે જેઓ ઠીક થઈ જાય તેમ છતા તેમનો આરટીપીસીઆર રિપોર્ચ નેગેટિવ નથી આવતો.
વાયરસ ખતમ થયા પછી પણ શરીરમાં
દર્દી ઠીક થઈ જાય તેમ છતા તેનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ ન આવે તો તેના પાછળનું કારણ એ છે કે વાયરસ ખતમ થયા બાદ પણ આપણા શરીરમાંજ રહેલો હોય છે. જેના કારણે રિપોર્ટ પોઝિટીવ આવે છે.
વાયરસ શરીરમાં ડિસ્ટ્રોય થયા પછી પણ રિપોર્ટ પોઝિટીવ
ઉલ્લેખનીય છે કે તબીબોના કહેવા પ્રમાણે જ્યારે દર્દીના શરીરમાં કોઈ લક્ષણ ન દેખાય ત્યારે તેના ગળાનું સેમ્પલ લેવામાં આવે છે. પરંતુ જો લક્ષણ દેખાય તો તેના મતલબ એ છે કે દર્દીના શરીરમાં વાયરસ છે. પરંતુ તેના શરીરમાં વાયરસ મરી ગયો હોય છે. જેથી આવી સ્થિતીમાં ભલે દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવે પરંતું સંક્રમણ અન્ય વ્યક્તિમાં નથી ફેલાતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.