કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં શ્વાસ, હ્રદય અને ખાસ કરીને પેટને લગતી સમસ્યાઓ વધી. નાના બાળકોને પણ પેટને લગતી સમસ્યાઓ થઈ રહી છે. જેના કારણે તબીબોમાં પણ ચિંતાનો માહોલ
કોરોનાને મ્હાત આપ્યા બાદ પણ અમુક લોકોમાં હવે ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. જેમા ખાસ કરીને શ્વાસની સમસ્યા, થાક લાગવો અને હ્રદય સંબધી સમસ્યાઓ લોકોમાં જોવા મળી છે. તો બીજી તરફ ઘણા એવા દર્દીઓ પણ છે કે જેમને પેટ, આંતરડા અને લીવરમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે.
પેટ સબંધી સમસ્યાના દર્દીઓ વધારે
જે દર્દીઓને આવી સમસ્યા થઈ રહી છે, તેમાથી અમુકતો એવા પણ છે કે જેમનો એક મહિના પછી ફરી પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. ખાસ કરીને લોકોને પેટ સંબંધી સમસ્યાઓ વધારે થઈ રહી છે. જેમા નાના બાળકોમાં પણ પેટની સમસ્યા જોવા મળી છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે.
તકલીફ થાય તો હળવાશમાં ન લેતા
તબીબોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પેટની સમસ્યાના કેટલાક દર્દીઓ હોસ્પિટલોમાં ઈલાજ માટે ગયા છે. આ બધાજ દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. જેથી કહી શકાય કે કોરોના હ્રદય અને ફેફસા સિવાય શરીરના અન્ય અંગોને પણ નુકશાન પહોચાડે છે. જેથી ડૉક્ટરોનું કહેવું છે કે કોરોનાથી સાજા થયા બાદ શરીરના કોઈ અંગમાં તકલીફ થાય તો તે તકલીફને સામાન્ય ન ગણવી જોઈએ, તેને લઈને તુરંત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ઠીક થયા પછી પણ RT-PCR રિપોર્ટ નેગેટિવ નથી આવતો
એઈમ્સના પૂર્વ ડાયરેક્ટર પ્રવીઁણ કુમારનું કહેવું છે કે કોઈ દર્દીનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવે તો તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે. પરંતુ ઘણા એવા દર્દીઓ પણ છે કે જેઓ ઠીક થઈ જાય તેમ છતા તેમનો આરટીપીસીઆર રિપોર્ચ નેગેટિવ નથી આવતો.
વાયરસ ખતમ થયા પછી પણ શરીરમાં
દર્દી ઠીક થઈ જાય તેમ છતા તેનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ ન આવે તો તેના પાછળનું કારણ એ છે કે વાયરસ ખતમ થયા બાદ પણ આપણા શરીરમાંજ રહેલો હોય છે. જેના કારણે રિપોર્ટ પોઝિટીવ આવે છે.
વાયરસ શરીરમાં ડિસ્ટ્રોય થયા પછી પણ રિપોર્ટ પોઝિટીવ
ઉલ્લેખનીય છે કે તબીબોના કહેવા પ્રમાણે જ્યારે દર્દીના શરીરમાં કોઈ લક્ષણ ન દેખાય ત્યારે તેના ગળાનું સેમ્પલ લેવામાં આવે છે. પરંતુ જો લક્ષણ દેખાય તો તેના મતલબ એ છે કે દર્દીના શરીરમાં વાયરસ છે. પરંતુ તેના શરીરમાં વાયરસ મરી ગયો હોય છે. જેથી આવી સ્થિતીમાં ભલે દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવે પરંતું સંક્રમણ અન્ય વ્યક્તિમાં નથી ફેલાતું.