વાંકાનેરની સિવિલ હોસ્પીટલના 4 માંથી 3 ડૉક્ટર કોરોના સંક્રમિત થતા નાણા એવા ગામમાં સોંપો પડી ગયો છે. આ પરિણામે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની વ્યવસ્થા સામે નવા સવાલ
વાંકાનેર સિવિલમાં ત્રણ તબીબો સંક્રમિત
હોસ્પિટલ વ્યવસ્થાપનમાં ભારે અડચણ
દર્દીઓએ મોરબી કે રાજકોટ જવું પડે છે
ગુજરાતમાં કોરોના સંક્રમણથી તબીબો પણ બાકાત નથી રહ્યા. રાત-દિવસ દર્દીઓની સારવારમાં રહેલા તાબોબો સંક્રમિત થાય છે. ગત સપ્તાહે રાજકોટમાં જ એક સાથે 30 જેટલા તબીઈબો સંક્રમિત થયાના સમાચાર બાદ હવે મોરબીનાં વાંકાનેરમાં પણ તબીબો સંક્રમિત થયા છે. વાંકાનેરની સિવિલ હોસ્પીટલના 4 માંથી 3 ડૉક્ટર કોરોના સંક્રમિત થતા નાણા એવા ગામમાં સોંપો પડી ગયો છે. આ પરિણામે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની વ્યવસ્થા સામે નવા સવાલ ઉભા થયા છે. કારણકે, અન્ય એક ડૉક્ટર ટ્રેનિંગમાં હોવાથી હોસ્પિટલમાં સારવારને લઇને ભારે હાલાકી થવાની સંભાવનાઓ વધી જાય છે. તાબોબો સંક્રમિત થતા,દર્દીઓએ નજીકમાં મોરબી અથવા રાજકોટ સુધી સારવાર માટે જવું પડવાની સ્થિતિનું નિર્માણ થયું છે.
ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. આજે કોરોનાના 10,019 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. તો 2 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 4831 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 55,798 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો અને દર્દીઓ ઓછા સાજા થતા રિકવરી રેટ ઘટ્યો છે. આજે 92.73 ટકા રિકવરી રેટ નોંધાયો છે. આજે 3,11,217 લોકોને રસી અપાઈ ચૂકી છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 836140 દર્દી સાજા થયા અને કુલ 10142 દર્દીના મોત થયા છે. તો રાજ્યમાં 38,446 લોકોનું રસીકરણ કરાયું છે.