અક્ષયે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અક્ષય લોકોને ખખડાવી રહ્યો છે અને આ વાત પર ફટકાર પણ લગાવી રહ્યો છે તે એટલી ચેતવણી છતાં પણ ઘણા લોકો રસ્તા પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે.
કોરોના વાયરસે સમગ્ર દુનિયાઘરમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે. હિંદુસ્તાન લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. દરેક લોકોને ઘરમાં રહેવાની અને બહાર ના નિકળવાની સલાહ આપવામાં આવી રહી છે. દેશની ઘણી જગ્યા પર તો કર્ફ્યૂ લગાવી દેવામાં આવી રહ્યો છે. પરંતુ આ બધા છતાં એવા ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે જ્યાં લોકો ઘરની બહાર તો નિકળી જ રહ્યા છે સાથે સાથે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇન્સની પણ મજાક બનાવી દીધી છે. હવે આ રવૈયાથી એક્ટર અક્ષય કુમાર પણ ભડકી ઊઠ્યો છે.
અક્ષયે લગાવી ફટકાર
અક્ષયે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અક્ષયે લોકોને ખખડાવી રહ્યો છે અને એ વાત પર ફટકાર પણ લગાવી રહ્યો છે કે આ ચેતવણ છતાં ઘણા લોકો રસ્તા પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અક્ષય કહે છે- તમને લોકોને કેમ સમજાતું નથી કે લૉકડાઉનનો મતલબ શું થાય છે. ઘરમાં કેમ રહેતા નથી, બહાર કેમ નિકળી રહ્યા છો. મૂર્ખા ના બનો, તમારા કારણે તમારો પરિવાર પણ ખતરામાં આવી જશે.
At the risk of sounding repetitive, sharing my thoughts...there is a lockdown for a reason. Please don’t be selfish and venture out, you’re putting others lives at risk 🙏🏻#StayAtHomeSaveLives. @mybmcpic.twitter.com/G0Nms9hYoP
માત્ર આટલું જ નહીં અક્ષય કુમારે એટલે સુધી કહી દીધું કે જો લોકોને આ સમયે લાઇફના ખેલાડી બનવાની જરૂર છે. એમના પ્રમાણે આ એવો સમય છે જ્યારે લોકો પોતાના પરિવારના હીરો બની શકે છે.
અક્ષયની અપીલની થશે અસર?
હાલના સમયે કોરોના વાયરસની સ્થિતિ એટલા ચિંતાજનક છે, એટલા માટે અક્ષય કુમાર પણ લોકોને ઘરમાં બેસવાની અપીલ કરી રહ્યો છે. અક્ષય કુમાર આ મુશ્કેલ સમયમાં સરકારને પૂરી રીતે સપોર્ટ કરી રહ્યા છે. એને ખુદને ક્વારનટીનમાં રાખેલા છે. એ બીજા દેશવાસીઓથી પણ આવું કરવાની અપીલ કરી રહ્યો છે. હવે અક્ષય કુમારના આ વીડિયોથી લોકો શીખે છે કે નહી તો સમય જણાવશે પરંતુ તમામ દેશમાં કોરોનાના કેસ સતત વધતા જઇ રહ્યા છે.