ડૉ. ત્રેહને કહ્યું, "આપણે ભારતના છેલ્લી બે લહેરમાંથી શીખવું જોઈએ. પ્રથમ અને બીજી લહેર વચ્ચે લગભગ ૩૨ અઠવાડિયાનું અંતર હતું. પ્રથમ લહેર પછી, લોકોએ ધાર્યું હતું કે વાયરસ હવે ચાલ્યો ગયો છે, પરંતુ બીજી લહેરમાં તે વધુ ભયંકર રીતે પાછો ફર્યો. તેથી લોકોએ સમજવું જોઈએ કે જ્યાં સુધી વાયરસનું જોખમ સંપૂર્ણપણે ટળી ન જાય ત્યાં સુધી સાવચેતી રાખવામાં આવે.
જાન્યુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં નવો વેરિયન્ટ પીક પર હશે
ડૉ.ત્રેહને કહ્યું કે, 'એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વાયરસ સપ્ટેમ્બર-ઓક્ટોબરથી ફેલાઈ રહ્યો છે, પરંતુ તેનો કોઈ પુરાવો નથી.' ડૉ. ત્રેહને કહ્યું કે જો આપણે 'સૂત્ર મોડેલ' પર નજર નાખીએ, જે પ્રથમ અને બીજી લહેર દરમિયાન લાગુ કરવામાં આવી હતી, તો જાન્યુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં નવો વેરિયન્ટ પીક પર હશે. આ લહેર ફેબ્રુઆરી સુધીમાં સમાપ્ત થવાની સંભાવના છે. જો કે, તે કેટલી ઊંચી જશે તે આપણા વર્તન પર નિર્ભર રહેશે.
શું ઓમિક્રોન વેરિયન્ટની દસ્તક ત્રીજી લહેર છે?
ડો. ત્રેહને જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રીને ત્રીજી લહેર તરીકે જાહેર કરવી અઘરી છે તેને માટે વધુ રાહ જોવી પડશે. અત્યાર સુધી સરકારે પણ આ અંગે સારા પગલા લીધા છે. લોકોને તાત્કાલિક ક્વોરેન્ટાઇન માટે મોકલવામાં આવે તેવી સરકારનો નિર્દેશ છે. . ઓમિક્રોન સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેક કરીને સારવાર આપવી જોઈએ. સરકારે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની આ યોજનાને ઝડપથી લાગુ કરી છે. તેથી આ જોખમને ઝડપથી ટાળી શકાય છે.
ભારતમાં લોકડાઉનની જરુર નથી
ડો.ત્રેહને કહ્યું હતું કે, ભારતમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટા પાયે લોકડાઉન લાદવાની જરૂર નથી. પરંતુ લોકોએ બચાવના ઉપાયોમાં કોઈ ઢીલાસ ન રાખવી જોઈએ. લોકોએ માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવું જોઈએ. ભીડભાડવાળા સ્થળોએ જવાનું ટાળવું જોઈએ અને હાથથી સેનિટાઇઝેશનનું ધ્યાન રાખવી.