ભારતમાં વધી રહેલા ઓમીક્રૉનના કેસની સંખ્યાએ ટેન્શન વધાર્યું છે. સિંગાપોરથી આવેલા વધુ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર સાબદું બન્યું છે.
દેશમાં ઓમિક્રૉનના 5 કેસ
શંકાસ્પદ કેસ વધ્યા
તમિલનાડુથી મળી શકે છે નવો કેસ
કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનના વધી રહેલા કેસ સામે વિદેશથી આવી રહેલા યાત્રીઓના કોરોના પોઝિટિવ આવવાનાં કિસ્સા પણ વધી રહ્યા છે. આ મામલે હવે આખી દુનિયામાં હવે ઓમીક્રૉનને લઈને ટેન્શન વધ્યું છે. અને ભારતમાં પણ પાંચ કેસ આવી ગયા હોવાથી તંત્ર સાબદું થયું છે. ભારત હવે એવા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે કે જ્યાં એક કરતાં વધારે ઓમીક્રૉન વેરિયન્ટના કેસ જોવા મળ્યા હોય.
સિંગાપોરથી આવ્યો હતો યાત્રી
હમણાં જ મળેલા સમાચાર મુજબ તમિલનાડુમાં એક એવો કેસ જોવા મળ્યો છે જે કોરોના પોઝિટિવ છે અને કન્યાકુમારી પ્રશાસને જણાવ્યું હતું કે શનિવારે સિંગાપોરથી આવેલ આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને ઘણાખરા લક્ષણો પણ એવા જોવા મળી રહ્યા છે કે જેના આધારે કહી શકાય કે તેને ઓમિક્રૉન વેરિયન્ટથી કોવિડ થયો હોય એવું લાગી રહ્યું છે.
કોવિડ તપાસમાં રિપોર્ટ પોઝિટિવ
જિલ્લા પ્રશાસન તરફથી મળેલી જાણકારી અનુસાર સિંગાપોરથી તમિલનાડુના મદુરાઇ એરપોર્ટ પર ઉટર્નર શખ્સના કોવિડ તપાસમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે હાલ તો એ કન્ફર્મ નથી થઈ શક્યું કે તે કોવિડના કયા વેરિયન્ટથી સંક્રમિત છે. અને તેને નજીકની સરકારી હોસ્પિટલ આસારીપલ્લમમાં દાખલ કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસનાં સંક્રમણના ભય વચ્ચે હવે Omicron નો ફેલાવો પણ વધારે થઈ રહ્યો છે તેને લઈને આફ્રીકા અને યુરોપના કેટલાક દેશોમાં ખળભળાટ મચ્યો હતો. ઓમિક્રૉને ભારતમાં એન્ટ્રી લેતા જ હવે તંત્રની ચિંતા વધારી દીધી છે.
દેશમાં ઓમિક્રૉનના 5 કેસ
રવિવાર સુધીમાં દેશમાં ઓમિક્રૉનના 5 કેસ આવી ચૂક્યા છે. અને વૈજ્ઞાનિકો આશંકા દર્શાવી રહ્યા છે કે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા કે ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓમિક્રૉન ટોચ પર હશે. IIT ના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી મણીન્દ્ર અગ્રવાલે નવા એક રિસર્ચમાં આ દાવો કર્યો હતો. અગાઉ સમાચાર મળ્યા હતા કે એમસીના સુરેશ કાકાણીએ જણાવ્યું કે મુંબઈના ઓમિક્રોન સંદિગ્ધોના રિપોર્ટ એક કે બે દિવસમાં આવી શકે છે. મુંબઈમાં ઓમિક્રોનના 17 સંદિગ્ધો નોંધાયેલા છે જેમાં 13 પ્રવાસીઓ છે અને ચાર તેમના સંપર્કમાં આવેલા સંદિગ્ધ છે. આટલા બીજા સંદિગ્ધો પણ રાજ્યમાં ફેલાયા હોવાની સંભાવના છે. બીએમસી દ્વારા જારી કરવામાં આવેલા એક અપડેટમાં એવું જણાવાયું છે કે બીએમસી પાસે હાઈ રિસ્ક દેશોમાંથી આવેલા 3,760 પ્રવાસીઓની યાદી છે અને તેમાંથી 2,794 પ્રવાસાીઓનું પગેરુ શોધી કાઢવામાં આવ્યું છે અને તેમનો કોરોના ટેસ્ટ કરાયો છે.