કોરોના વાયરસના કેસ આખા વિશ્વમાં ફરી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાની બીજી લહેરે ફરી એકવાર લોકોને ડરાવી દીધા છે.
કોરોનાના નવા લક્ષણ આવ્યા સામે
કોઇ પણ દુઃખાવાને નજરઅંદાજ ન કરો
24 કલાકની અંદર 1 લાખથી વધુ કેસ
24 કલાકની અંદર દરરોજ 1 લાખથી વધુ કોરોનાના કેસ આવી રહ્યા છે. ભારતમાં આ ડબલ મ્યુટન્ટના ફેલાવા પાછળનું કારણ લોકોની ભારે બેદરકારી છે. પહેલા કોરોનાના લક્ષણમાં તાવ, શરદી ખાંસી જોવા મળતી હતી પરંતુ હવે લક્ષણો બદલાઇ ગયા છે.
શું છે નવા લક્ષણ
કોરોનાના નવા લક્ષણમાં દર્દીઓને જોઇન્ટમાં પેઇન, માંસપેશીઓમાં દુખાવો, ગેસ્ટ્રોઇંટેસ્ટાઇલ બિમારી, કમજોરી અને ભૂખ ન લાગવી વગેરે લક્ષણ જોવામાં આવી રહ્યાં છે. યુકે અને અન્ય યુરોપીય દેશમાં ત્રીજી લહેરમાં આ લક્ષણ જોવા મળ્યા છે.
કોરોનાના મોટાભાગના કેસ હલકા લક્ષણ કે પછી લક્ષણ વગરના છે. જે રીતે કોરોના પોતાનુ રુપ બદલી રહ્યું છે તે રીતે લોકોને અલગ અલગ રીતે પ્રભાવિત કરી રહ્યું છે. કોરોનાની પહેલી લહેરની જેમ લોકોને હોસ્પિટલમાં ભરતી પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે કોરોનાનુ નવુ વેરિએન્ટ બોડી પર અલગ અળગ રીતે હુમલો કરી શકે છે. નવુ વેરિએન્ટ ખુબ સંક્રામક છે અને ફેફસા તેમજ શ્વસનતંત્રમાં આસાનીથી ફેલાઇ રહ્યું છે. જેના કારણે ન્યુમોનિયા પણ તવાની સંભાવનાઓ રહે છે. કોરોના ખુબ ઘાતક બની રહ્યો છે.
ગેસ્ટ્રોઇંટેસ્ટાઇલ લક્ષણોને ન કરો નજર અંદાજ
નવા કોરોનામાં ગેસ્ટ્રોઇંટેસ્ટાઇલથી જોડાયેલા લક્ષણ વધારે સામે આવી રહ્યાં છે જે પહેલા નહોચા. ડૉક્ટર્સનું કહેવુ છે કે વાયરસ પાચનતંત્રમાં રહેલ એસીઇ2 એન્ટ્રી રિસેપ્ટર્સ સાથે જોડાઇને દર્દ, ઉલ્ટી જેવી સમસ્યા ઉભી કરી શકે છે.
નવા વેરિએન્ટમાં વાયરલ લોડ પણ વધારે છે. વાયરલ લોડમાં લોહીમાં રહેલ વાયરસ જણાવે છે કે તમને કોરોના છે કે નહી. આ પ્રકારનો વાયરસ વધુ સંક્રામક હોય છે.
કોરોનાના નવા કેસમાં જે લોકો સંક્રમિત થાય છે તેમનામાં વાયરલ લોડ પણ વધારે જોવા મળે છે. તેનો મતલબ છે કે ઇન્ફેક્સન અને રીઇન્ફેક્શન વધારે થાય છે. કોરોનાનો નવો સ્ટ્રેન યુવાનો અને બાળકોને પણ તેજીથી સંક્રમિત કરી રહ્યો છે.