એઈમ્સના ચીફ ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોનાની હર્ડ ઇમ્યુનિટી મિથ છે. નવો સ્ટ્રેન થોડો વધારે ખતરનાક હોઈ શકે છે.
કોરોના વાયરસને લઈને વધુ એક ખતરો
AIIMS ચીફે કર્યા સતર્ક
નવો સ્ટ્રેન થોડો વધારે ખતરનાક હોઈ શકે છે
ભારત પર ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. કોરોનાના નવા સ્ટ્રેને પણ દેશમાં ભય જન્માવ્યો છે. પણ આ સમયે જે લોકો હર્ડ ઈમ્યુનિટીને એવી સ્થિતિ માટે સારી માને છે તેઓએ આ જાણવું જરૂરી છે. એઈમ્સના ચીફ ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં કોરોના વાયરસને માટે હર્ડ ઈમ્યુનિટી એક મિથ છે.કેમકે ઓછામાં ઓછા 80 ટકા લોકો આબાદીની રક્ષા માટે એન્ટીબોડીની જરૂર ધરાવે છે. મહારાષ્ટ્રમાં જોવા મળી રહેલા નવા સ્ટ્રેનને વધારે મુશ્કેલ ગણવામાં આવી રહ્યો છે. એઈમ્સ ચીફ કહે છે કે આ વધારે સંક્રામક અને ખતરનાક હોઈ શકે છે.
નવો સ્ટ્રેન એન્ટીબોડી ધરાવનારામાં પણ સંક્રમણ લાવી શકે છેઃ ડો. ગુલેરિયા
તેઓએ કહ્યું કે નવો સ્ટ્રેન એ લોકોમાં ફરીથી સંક્રમણ કરી શકે છે જેઓએ વાયરસના માટે એન્ટી બોડી વિકસિત કરી લીધા છે. આખા ભારતમાં નવા સ્ટ્રેનના 240 કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે પછી આ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યે કહ્યું કે મહારાષ્ટ્ર સિવાય 4 રાજ્યો કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસ ગઢ અને પંજાબમાં નવા સ્ટ્રેનની સંખ્યા વધી રહી છે.
વેક્સીનેશનની લઈને અપાયા આટલા ડોઝ, આવો છે ભવિષ્યનો પ્લાન
સરકાર દ્વારા શરૂ કરાયેલા વેક્સીનેશનમાં 3 કરોડ સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સીન આપવાની યોજના છે. આ પછી 27 કરોડ લોકોનો વારો આવશે અને તેમાં 50 વર્ષથી વધારે ઉંમરના લોકોનો પણ સમાવેશ કરાશે. ભારતમાં અત્યાર સુધીમાં 1 કરોડ લોકોને વેક્સીન અપાઈ ચૂકી છે. આ સાથે ભારત અમેરિકા બાદ વેક્સીનેશનમાં વિશ્વમાં બીજા ક્રમે ફક્ત 34 દિવસમાં પહોંચ્યું છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે વાયરસથી બચવા માટે એક વાર ફરી ટ્રેસિંગ અને ટેસ્ટિંગની જરૂર છે.
વેક્સીનેશન પ્રભાવી સાબિત થશેઃ ડો. ગુલેરિયા
ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનના વિરોધમાં વેક્સીનના પ્રભાવને લઈને ડો. ગુલેરિયાએ કહ્યું કે વેક્સીનથી કોરોનાનો પ્રભાવ ઘટી શકે છે. તેઓએ કહ્યું કે નવા સ્ટ્રેન પર નજર રખાઈ રહી છે અને આવનારા સમયમાં શક્ય છે કે વેક્સીનમાં ફેરફાર પણ કરાય પણ વેક્સીન લેવી અત્યંત જરૂરી છે.