બ્રિટનમાં દેખાયેલો કોરોનાનો નવો સ્ટ્રેન ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ જોવા મળ્યા છે.
દર્દીના સેમ્પલ મોકલાયા હતા પૂણેની લેબમાં
હજૂ પણ 6 દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી
ચારેય દર્દીઓને SVP હોસ્પિટલમાં કરાયા દાખલ
અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનના 4 કેસ સામે આવ્યા છે. તમામ 4 દર્દી બ્રિટનથી પરત આવ્યા હતા. પૂણેની લેબમાં દર્દીના સેમ્પલ મોકલાયા હતા. હજુ પણ 6 દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે. ચારેય દર્દીઓને SVP હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અમદાવાદ બાદ રાજકોટમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનનો એક કેસ સામે આવ્યો છે. બ્રિટનથી રાજકોટ પરત ફરેલા યુવકમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે. રાજકોટના યુવક અને પરિવારના સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવઆવતા રાજકોટનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.
કોરોનાના નવા પ્રકારનો કહેર
બ્રિટન બાદ દક્ષિણ આફ્રિકા અને નાઈજીરિયામાં સામે આવ્યો કોરોનાનો નવો પ્રકાર
ભારતે બ્રિટનથી આવેલા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યો
કોરોનાના નવા પ્રકારને રોકવાને લઇ તમામ તૈયારીઓ
બ્રિટનમાં જે વેરિએન્ટ મળ્યા છે તેને VUI 202012/01 નામ આપવામાં આવે છે
નવા સ્ટ્રેનની ટ્રાન્સમિશનની ક્ષમતા જૂના વાઈરસની તુલનામાં 70 ટકા વધારે
વધારે ઉંડાણપૂર્વકના સંશોધનથી જાણવા મળ્યુ કે 14 જેટલા પરિવર્તન આવ્યા છે
જૂના વાઈરસની તુલનામાં જીનેટીક મટેરીયલમાં 3 વસ્તુ ઓછી છે અથવા તે હટી ચુક્યા છે
કોરોનાના નવા પ્રકારમાં ટેસ્ટિંગ અને વેક્સિનનેશનની અસરને લઇ સંશોધન
કોરોનાના નવા પ્રકારમાં પણ વેક્સિન અસરકારક રહે તેવો દાવો
ટેસ્ટિંગ અને વેક્સિનેશન રિઝલ્ટ્સને અસર કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરાઇ રહ્યું છે
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગઈ કાલ સુધીમાં કોરોનાના 734 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 245,771 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.32 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 53,520 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 97,06,300 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં 10 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 907 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,31,800 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 9663 એક્ટિવ કેસ છે. જેમાંથી 63 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 3 દર્દીના મોત
આજે કોવિડ-19થી 3 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4309 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 2 અને રાજકોટમાં 1, આમ 24 કલાક દરમિયાન કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા! અમદાવાદ શહેરમાં 152 પોઝિટિવ
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 152-ગ્રામ્યમાં 6 કેસ, સુરત શહેરમાં 108-ગ્રામ્યમાં 14 કેસ, વડોદરા શહેરમાં 96-ગ્રામ્યમાં 28 કેસ, રાજકોટ શહેરમાં 60-ગ્રામ્યમાં 27 કેસ, કચ્છમાં 22 કેસ નોંધાયા છે.
ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા જિલ્લાવાર આંકડા