જો તમે કોરોનાથી સાજા થઈ ગયા છો તો જરૂરી છે કે તમે કેટલાક ટેસ્ટ કરાવો. તેનાથી જાણી શકાય છે કે તમારા શરીર પર વાયરસે કેટલું નુકસાન કર્યું છે.
કોરોનાથી સાજા થયા બાદ પણ રહો એલર્ટ
બેદરકારી રાખ્યા વિના કરી લો આ કામ
કોરોના રીકવરી બાદ કરાવી લો આ ટેસ્ટ
દેશમાં કોરોના વાયરસે કોહરામ મચાવીને રાખ્યો છે. દરેક તરફ અફરાતફરીનો માહોલ છે. આ સમયે રોજના સાડા ત્રણ લાખથી વધારે નવા કેસ આવી રહ્યા છે. સ્થિતિ એ છે કે કોરોનાના નવા સ્ટ્રેન આરટીપીસીઆરના ટેસ્ટ રિપોર્ટને પણ માત આપી દેતા હોય છે. અનેક વાર દર્દી કોરોના પોઝિટિવ હોય છે પણ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે છે. એવામાં તમારે સાવધાન રહેવાની જરૂર છે.
જો તમે કોરોનાથી સાજા થઈ ગયા છો તો જરૂરી છે કે તમે કેટલાક ટેસ્ટ કરાવી લો. તેનાથી જાણી શકાશે કે તમારા શરીર પર વાયરસે કેટલું નુકસાન કર્યું છે. તો જાણો એ ટેસ્ટને વિશે જેને તમારે કોરોના બાદ કરાવી લેવા જરૂરી છે.
એન્ટી બોડી ટેસ્ટ
ડોક્ટરના જણાવ્યા અનુસાર કોરોના વાયરસ શરીરના અનેક અંગોને નુકસાન કરે છે. ખાસ કરીને ફેફસા અને ઇમ્યુન સિસ્ટમ પર હુમલો કરે છે. આ માટે જરૂરી છે કે તમે એન્ટીબોડી ટેસ્ટ કરાવી લો. આ ટેસ્ટથી ખ્યાલ આવે છે કે બોડીની એન્ટી બોડીની સ્થિતિ શું છે. આ ટેસ્ટ કોરોનાથી સાજા થયાના 2 અઠવાડિયામાં કરાવી લો તે જરૂરી છે.
CBC Test
CBC Test એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ શરીરમાં અલગ અલગ કોશિકાની તપાસ માટે કરાય છે. તેનાથી દર્દીને અંદાજ આવે છે કે સંક્રમણ તેના શરીરમાં કેવી પ્રતિક્રાય કરી રહ્યું છે. કોરોનાથી રિકવરી બાદ લોકોએ આ ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે.
શુગર ટેસ્ટ
શુગર અને કોલેસ્ટ્રોલ ટેસ્ટ પણ જરૂરી છે. ખાસ કરીને એ દર્દીઓ જેને ડાયાબિટીસ છે તેઓએ આ ટેસ્ટ કરાવવાનો જરૂરી રહે છે. અનેક વાર કોરોનાના સમયે લોકોના શરીરમાં શુગરનું સ્તર વધે છે. વધારે ગંભીર લક્ષણો વાળા રોગીને ક્રિએટિનિન, લિવર અને કિડની ફંક્શન ટેસ્ટની સલાહ આપી છે.