કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના કોરોના પોઝિટિવ આવ્યા બાદ પક્ષ અને વિપક્ષના તમામ નાના મોટા નેતાઓએ તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ વચ્ચે લેખક સુહેલ સેઠે એક ટ્વિટ કર્યું છે.
અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
લેખક સુહેલ સેઠે ટ્વિટ કર્યું
અમિત શાહ જલ્દી સાજા થઇ જાય: સુહેલ
ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જાણીતા લેખક સુહેલ સેઠે ટ્વિટ કર્યું કે, 'હવે બહું થયું... કોરોના વાયરસે ખોટાં માણસ સાથે પંગો લઈ લીધો છે. ભારતમાં હવે આના(કોરોના) ગણતરીના દિવસો વધ્યા છે.' સુહેલે લખ્યું કે, 'વધુ ગંભીરતા સાથે, અમિત શાહ જલ્દી સાજા થઇ જાય.'
This is it. Corona has messed with the wrong guy. It’s days in India are now numbered. And on a serious note, get well soon @AmitShah ...
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત થયા છે. ડૉક્ટરોની સલાહ મુજબ હાલ તેઓ મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા છે. ટ્વીટ કરીને અમિત શાહે આ મામલે માહિતી આપી હતી. તેમજ તેમના સંપર્કમાં આવનાર સૌને આઈસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા વિનંતી કરી છે. ગૃહમંત્રી અમિત શાહ કોવિડ 19ના આઉટબ્રેકની શરૂઆતથી જ સતત બેઠકો કરી રહ્યા છે અને મોનિટરિંગમાં વ્યસ્ત છે. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સ્થિતિ વધુ વણસી હોવાથી તેઓ અંગત રીતે સતત નજર રાખી રહ્યાં હતા.
આ ઉપરાંત ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકો યોજીને સતત કોવિડ-19ની પરિસ્થિતિ વિશે અપડેટ લેતા હતા. લૉકડાઉન બાદ દેશમાં અનલોકની પ્રક્રિયાને લઈ ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં પણ અમિત શાહની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અમિત શાહ એક દિવસ પહેલા જ લોકમાન્ય બાલ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથિના આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં એમની સાથે મંચ પર અનેક લોકો હાજર હતા.