કોરોનાને મ્હાત આપનારા લોકોમાં અનેક સમસ્યાની ફરિયાદો જોવા મળી રહી છે. આ પ્રકારના મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તો સાથે જ કોરોના વાયરસ હૃદયને પણ નુકસાન કરી રહ્યો છે. જે દર્દીઓ સ્વસ્થ થયા છે તેમના હૃદયની કાર્યપ્રણાલીમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. દર્દીના હદયની માંસપેશીઓમાં સોજો આવી જવાની ફરિયાદ પણ મળી રહી છે. ડોક્ટરોએ કોરોના સંક્રમિત થયેલા 7 હૃદય રોગીઓ પર અભ્યાસ કર્યો જેમાં જાણવા મળ્યું છે કે દર્દીના હૃદયની ગતિ 30થી 42 BPM પ્રતિ મિનિટ થઈ ચૂકી છે.
કોરોનાને મ્હાત આપ્યા બાદ પણ પરેશાની
કોરોના હૃદયને કરી રહ્યો છે નુકસાન
હૃદયની કાર્યપ્રણાલીને થઈ રહી છે તકલીફ
અહીં કરવામાં આવેલા 7 દર્દી પરના અભ્યાસમાં 5 દર્દીને સ્થાયી પેસમેકર લગાવવામાં આવ્યા હતા અને 2 અન્ય દર્દીના હૃદયની ગતિ માપવા માટે અસ્થાયી પેસિંગ લગાવવામાં આવ્યા હતા. જ્યારે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા ત્યારે તેમની સ્થિતિમાં સુધારો થયો હતો. પરંતુ કોરોના હવે હૃદય સંબંધી સમસ્યાઓ પણ ઉભી કરી રહ્યો છે . જેના કારણે સંક્રમિત દર્દીનी રક્તવાહિનીઓમાં બ્લડ જામી જાય છે, બ્લડની ગાંઠો થઈ જતા હૃદય સુધી બ્લડ પહોંચી શકતું નથી. આ કારણોસર દર્દીને હાર્ટ અટેક થવાનો પણ ખતરો રહે છે.
વધી રહી છે હાર્ટ એટેકની સંભાવનાઓ
કોરોના સંક્રમિત દર્દીઓને હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. સંક્રમિત રક્તવાહિનીઓમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે અને સાથે જ હાર્ટ એટેકનો ખતરો પમ રહે છે. દર્દીઓમાં લોહી જામવાની સ્થિતિ રોકવા માટે ખાસ ટ્રીટમેન્ટ પર ભાર મૂકાયો છે.