મહારાષ્ટ્રમાં કોરોનાને અટકાવવા 15 દિવસ લોકડાઉન વધારવામાં આવી શકે છે.
મંત્રીઓએ 15 દિવસ સુધી લોકડાઉન વધારવાનો પ્રસ્તાવ મુક્યો
રસીની અછતના કારણે 18થી 44 વર્ષનાનું રસીકરણ બંધ છે
લોકડાઉન હટાવવામાં આવ્યું તો કોરોનાના મામલા એક વાર ફરી વધી શકે
રસીની અછતના કારણે 18થી 44 વર્ષનાનું રસીકરણ બંધ છે
કોરોનાની બીજી લહેર રોજ 4 લાખની કેસ આવી રહ્યા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે મહારાષ્ટ્રમાં કોરોનાને રોકવા લોકડાઉન વધારવામાં આવી શકે છે. બુધવારે થયેલી કેબિનેટ મિટિંગમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને મંત્રીઓએ લોકડાઉનને આવનારા 15 દિવસ (31 મે) સુધી વધારવાનો પ્રસ્તાવ મુક્યો હતો. કેબિનેટની બેઠક બાદ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે રાજ્યમાં હાલ જે પ્રકારની સ્થિતિ છે કેને જોયા બાદ 15 દિવસ સુધી લોકડાઉન વધારવામાં આવશે અથવા નહીં તેનો નિર્ણય છેલ્લે ઉદ્ધવ ઠાકરે કરશે.
લોકડાઉન હટાવવામાં આવ્યું તો કોરોનાના મામલા એક વાર ફરી વધી શકે
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉનની અસર હવે અનેક જિલ્લામાં જોવા મળી રહી છે. રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યાનુસાર કોરોનાના દૈનિક મામલામાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. મોટા ભાગના જિલ્લામાં અત્યારે પણ સ્થિતિ ગંભીર છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં 12 જિલ્લામાં કોરોનાના વધતા કેસમાં ઘટાડો આવ્યો છે. પરંતુ આ રાજ્યનો એક તૃત્યાંશ ભાગ જ છે. બાકીના બે તૃત્યાંશ ભાગોમાં કાતો સ્થિતિ સ્થિર છે અથવા આંકડા કરાવી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે જો લોકડાઉન હટાવવામાં આવ્યું તો કોરોનાના મામલા એક વાર ફરી વધી શકે છે.
રસીની અછતના કારણે 18થી 44 વર્ષનાનું રસીકરણ બંધ છે
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે રાજ્યમાં ફક્ત 35000 કોવૈક્સીનના ડોઝ બચ્યા છે. જ્યારે 5 લાખ લોકોને કેવૈક્સીનના બીજા ડોઝ આપનાના છે. રાજ્યમાં હાલ કુલ 2.75 લાખ રસીના ડોઝ ઉપલબ્ધ છે. રસીની અછતના કારણે 18થી 44 વર્ષનાનું રસીકરણ બંધ છે. જે રસીના ડોઝ છે તેનાથી ફક્ત 45થી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવશે.
24 કલાકમાં 46 હજારથી વધારે કેસ
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના 46, 781 નવા મામલા આવ્યા છે. જ્યાકે 816 લોકોના મોત થયા છે. નવા દર્દી મળતા કુલ કેસ 52,26,710 થયા છે. જ્યારે કુલ 78 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 24 કલાકમાં 58 હજાર 805 લોકો સાજા થયા છે. આ સાથે રિકવરી રેટ 88.01 ટકા પર પહોંચ્યો છે. ત્યારે રાજ્યમાં મોંતની સંખ્યા એક વાર ફરી ડરાવની છે. 816 નવા મોતની સાથે મૃત્યુદર 1.49 ટકા છે. એક્ટિવ કેસની સંખ્યા 5 લાખ 46 હજાર 129 પહોંચી ગઈ છે.