દેશમાં કોરોનાના દર્દીનો આંક 34 લાખની નજીક પહોંચી ગયો છે. ગત બે દિવસોમાં લગભદ દોઢ લાખ કેસ સામે આવ્યા છે. કોરોનાની આ સ્પીડથી સરકારની ચિંતા વધી છે . પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકડાઉનની નવી તારીખનું એલાન કર્યુ છે. તો ટેસ્ટિંગને લઈને કેજરીવાલ અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગયા છે.
મમતા બેનર્જીએ લોકડાઉનની નવી તારીખનું એલાન કર્યુ છે
સરકારે કોલકત્તાવાસીઓને રાહત આપતા ડોમેસ્ટિક ફ્લાઈટ્સને પરવાનગી આપી છે
કોરોના સ્પીડ જોતા પ. બંગાળ સરકારે એઠવાડિયામાં લાગનારુ લોકડાઉન વધારી દીધુ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નવી તારીખો જાહેર કરી છે. બંગાળમાં 31 ઓગસ્ટ, 7 સપ્ટેમ્બર, 11 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરે લોકડાઉન રહેશે. જો કે સરકારે કોલકત્તાવાસીઓને રાહત આપતા ડોમેસ્ટિક ફ્લાઈટ્સને પરવાનગી આપી છે.
ત્યારે ટેસ્ટિંગને લઈને કેજરીવાલ સરકાર અને કેન્દ્રમાં ફરી આરોપો- પ્રત્યારોપો શરુ થઈ ગયા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સતેન્દર જૈનના આરોપો ગૃહ મંત્રાલયે ફગાવી દીધા છે. સતેન્દ્ર જૈને કહ્યુ કે કેન્દ્ર સરકાર રોજના 20 હજારથી 40 હજાર ટેસ્ટિંગ કરવાથી રોકી રહી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે આ જુઠું છે.
ગૃહ મંત્રાલયે કહ્યું કે દિલ્હીમાં કોરોનાની સ્થિતિમાં ઉલ્લેખનીય સુધાર થયો છે. આ ટેસ્ટિંગને વધારવા અને અન્ય ઉપયોગોના કારણે સંભવ થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી હસ્તક્ષેપ બાદ જ દિલ્હીમાં રોજના 18 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. જે જૂનના મધ્ય સુધી લગભગ 4,000 પ્રતિ દિન સરેરાશ હતો.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. એક જ દિવસમાં દેશમાં 76 હજાર 826 પોઝિટીવ કેસ આવ્યા છે. ભારતમાં કોરોનાના 33 લાખ 84 હજાર પોઝિટીવ કેસ નોંધાયા છે. કોરોના બાદ દેશમાં 25 લાખ 83 હજાર લોકો સ્વસ્થ થયા છે. હાલ ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 7 લાખ 39 હજાર છે. કોરોનાથી ભારતમાં 61 હજાર 694 લોકોના મૃત્યુ થયા છે.
દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 7 લાખ 33 હજાર કેસ છે. દેશના 9 રાજ્યોમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં 91329 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સમગ્ર વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 2 લાખ 61 હજાર કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી વિશ્વમાં 8 લાખ 34 હજાર લોકોના મૃત્યુ થયા છે. કોરોના બાદ વિશ્વમાં 1 કરોડ 70 લાખ લોકો સ્વસ્થ થયા છે. કોરોનાના કેસ અમેરિકા અને બ્રાઝિલ કરતા ભારતમાં વધી રહ્યા છે.