કોરોનાને લીધે દેશમાં લોકડાઉન 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. પરંતુ જરુરીયાતની વસ્તુઓ સાથે જોડાયેલી ઈન્ડસ્ટ્રીને છુટછાટ અપાઈ છે. આ છુટછાટ 20 એપ્રિલ સુધી અપાઈ છે એ બાદ લોકડાઉનનો કડક અમલ કરવમાં આવશે. ત્યારે યૂપી સરકારે 11 પ્રકારના ઉદ્યોગોને સશર્ત કામ કરવાની પરવાનગી આપી છે. ત્યારે એવી માહિતી પણ મળી છે કે યોગી સરકારે દારુના વેચાણને પણ છુટ આપવા માટે વિચાર કરી રહી છે
યૂપીમાં દારુના ઉત્પાદન સાથે જોડાયેલા આદેશ જાહેર કરાયા
યૂપીમાં 11 પ્રકારના ઉદ્યોગોને સશર્ત ચલાવવાની પરવાનગી અપાઈ
વધારેમાં વધારે 50 ટકા શ્રમિકોથી ચાલનારા યૂનિટને પરવાનગી મળી
યૂપી સરકારના પ્રમુખ સચિવ સંજય આર. ભૂસરેડ્ડી દ્વારા યૂપીના તમામ મંડલાયુક્તો, જિલ્લાધિકારીઓ અને પોલીસ અધિક્ષકોને પત્ર લખ્યો છે. એક પત્રમાં એવું લખ્યું છે કે યૂપી સરકાર પ્રદેશમાં મદિરાના વેચાણ શરુ કરવાની તૈયારી કરી રહી છે. તે માટે સરકારના જે તે વિભાગને દારુ- બિયરના ઉત્પાન કરતી ફેક્ટરીને કામ ચાલુ કરવાનો આદેશ આપવામાં આવે.
યૂપી સરકાર તરફથી અપાયો આદેશ
યૂપી સરકાર તરફથી જાહેર કરવામાં આવેવા આદેશમાં કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા ઉત્પાદનોની યૂનિટમાં કામ શરુ કરી દેવામાં આવે. હાલમાં આ આદેશ ઉત્ત્પાદન એકમો માટે છે. છુટથી દારુ અને બિયરના વેચાણ માટે હજું સુધી કોઈ છુટછાટ આપવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે આ આદેશ છુટક દારુના વેચાણ માટે રસ્તો ખોલતા પહેલા ઉત્પાદન તથા તેના જથ્થાના પ્રમાણને સુનિશ્ચિત કરવામાં માટે છે.
11 ઉદ્યોગોને પરવાનગી મળી છે
કોરોના સંકટની વચ્ચે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે મોટું પગલુ ભર્યુ છે. પ્રદેશ સરકારે જરુરી સેવાઓની સાથે 11 પ્રકારના ઉદ્યોગોને સશર્ત ચલાવવાની પરવાનગી આપી છે. હાલમાં સતત પ્રક્રિયા ઉદ્યોગોના સંચાલનને પરવાનગી આપી દેવાઈ છે.
સ્ટીલ, રિફાઈનરી, સિમેન્ટ, રસાયણ, ઉર્વરક, કાપડ ઉદ્યોગ, ફાઉન્ડ્રીઝ, પેપર, ટાયર, ચીની મિલને ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. સાથે સાથે કોમન એક્લૂએન્ટ ટ્ર્ટીમેન્ટ પ્લાનને શરુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પ્રથમ ચરણમાં વધારેમાં વધારે 50 ટકા શ્રમિકોથી ચાલનારા યૂનિટને પરવાનગી મળી ગઈ છે. આ દરમિયાન પ્રશાસનિક કાર્યાલયને ખોલવાની પરવાનગી નહી મળે. આ ઉપરાંત હોટસ્પોર્ટ એરિયામાં યૂનિટ ચલાવવા પર પ્રતિબંધ રહેશે. ઔદ્યોગિક પરિસરમાં ગાઈડલાઈન મુજબ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. ગાઈડલાઈન્સનું પાલન જિલ્લા પ્રસાશન અને મેડિકલ વિભાગ નક્કી કરશે. આ દરમિયાન કોઈ પણ કર્મચારીમાં કોરોના લક્ષણો જોવા મળશે તો જિલ્લા પ્રસાશનને જાણ કરવી પડશે.