કોરોના વાયરસે વિશ્વમાં કહેર મચાવ્યો છે, ભારતમાં પણ અત્યાર સુધીમાં 400થી વધુ લોકો કોરોના પીડિત છે અને 10 લોકોના મોત નીપજ્યા છે ત્યારે આ આફત સામે પહોંચી વળવા માટે રિલીફ ફંડમાં દેશના મંદિરોએ તથા ફિલ્મ સ્ટારોએ દાન કર્યું હતું.
વિશ્વમાં કોરોના વાયરસનો કહેર
આફતને પહોંચી વળવા માટે મંદિરોએ રાહતફંડમાં કર્યું દાન
ઉલ્લેખનીય છે કે, પટનાના મહાવીર મંદિર ન્યાસે મુખ્યમંત્રી રાહત કોષમાં એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. મહાવીર મંદિર ન્યાસના સચિવ કિશોર કુણાલે જણાવ્યું કે, તેમણે સરકારને કોરોના સામે લડવા માટે સંભવ તમામ મદદ કરવાની વાત કરી હતી.
શિરડી સાંઇ મંદિરે 51 કરોડ રૂપિયાનું કર્યું દાન
કોરોના વાયરસ મહામારીના વધતા મામલાઓને જોતા આ સંકટને પહોંચી વળવા માટે સાંઇબાબાા સંસ્થાન ટ્રસ્ટ, શિરડીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. આપને જણાવી દઇએ કે, કોરોના પીડિતોની સંખ્યા 125 થઇ છે.
Shri Saibaba Sansthan Trust, Shirdi has donated Rs 51 Crore to Maharashtra Chief Minister's Relief Fund to fight the #COVID19 pandemic. pic.twitter.com/wTepDtH9Hw
નોંધનીય છે કે, આપણાં દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી એકજૂટ થઈને ઊભી છે. સ્ટાર્સ પીએમ રિલીફ ફંડમાં દાન આપી રહ્યાં છે. કપિલ શર્માથી લઈને ઘણાં સ્ટાર્સે પૈસા દાનમાં આપ્યા છે.
કપિલ શર્માએ ટ્વિટ કરીને તેના વિશે માહિતી આપી છે. તેણે લખ્યું- આ સમય એક સાથે ઊભા રહેવાનો છે, જે લોકોને આપણી જરૂર છે. કોરોના સામે લડવા, હું પીએમ રિલીફ ફંડ માટે 50 લાખ રૂપિયા આપી રહ્યો છું. હું બધાને ઘરે રહેવા વિનંતી કરું છું.
પવન કલ્યાણે 1 કરોડનું દાન આપ્યું
I will be donating Rs.1 crore to PM relief fund to support our https://t.co/83OmZ9biYX Sri @narendramodi ji,in turbulent times like this. His exemplary and inspiring leadership would truly bring our country from this Corona pandemic.
સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણે પણ પૈસા દાનમાં આપ્યા છે. તેણે ટ્વિટ કરીને લખ્યું- હું પીએમ રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયા દાનમાં આપી રહ્યો છે. પીએમ મોદીની ઈન્સ્પાયરિંગ લીડરશિપ કોરોના મહામારીમાંથી દેશને બચાવી લેશે.
સાઉથના સુપરસ્ટાર ચરણે 70 લાખ રૂપિયા ડોનેટ કર્યા
સાઉથના અન્ય એક સુપરસ્ટાર ચરણે 70 લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. ત્યારે એકતા કપૂરે ટ્વિટ કરીને લખ્યું- આ ક્રિટિકલ સમયમાં દરેકનું યોગદાન મદદ કરી શકે છે. થોડું દાન કરીને આ જન આંદોલનમાં સામેલ થાઓ. કિયારા અડવાણી, ભૂમિ પેડનેકર અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ આને સપોર્ટ કર્યું છે. આ લોકોએ પણ ટ્વિટ કરીને આ કોન્ટ્રીબ્યૂશનને સપોર્ટ કરવાનું કહ્યું.
ગુજરાતમાં પણ દાનની સરવણી વહી
કોરોનાને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મદદે આવ્યું ગતું. તેમણે પ્રધાનમંત્રી રાહત ફંડમાં 21 લાખનું આપ્યું ફંડ આપ્યું હતું.
સોમનાથ મંદિરે 1 કરોડનું આપ્યું દાન
કોરોના સામે લડવા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો અને મુખ્યમંત્રી રાહત ફંડમાં 1 કરોડ રૂપિયા જમા કરાવવાની જાહેરાત કરી હતી.
ખોડલધામે 21 લાખનું આપ્યું દાન
સૌરાષ્ટ્રમાં આવેલ પટેલોના આસ્થા કેન્દ્ર ખોડલધામે મુખ્યમંત્રી રાહતફંડમાં 21 લાખનું આપ્યું દાન આપવાની જાહેરાત કરી હતી.
સચિન તેંડુલકરે આપ્યું 50 લાખનું દાન
ચેમ્પિયન બેટ્સમેન સચિન તેંડુલકરે કોવિડ 19 મહામારી સામે લડવા માટે 50 લાખ રૂપિયાનું દાન આપ્યું છે, ભારતના અગ્રણી ખેલાડીઓનું આ સૌથી મોટું દાન છે. નોંધનીય છે કે, ઘણાએ તેમના પગારની ઘોષણા કરી છે જ્યારે ઘણાએ તબીબી ઉપકરણો આપ્યા છે.
ગાંગુલીએ 50 લાખનું આપ્યું દાન
બીસીસીઆઈના પ્રમુખ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગરીબોમાં 50 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે સચિન તેંડુલકરે વડા પ્રધાન રાહત ભંડોળને 25 લાખ રૂપિયા અને મુખ્યમંત્રી રાહત નિધિને 25 લાખ આપવાનો નિર્ણય કર્યો છે.