પંજાબના ફરીદકોર્ટમાં કર્ફ્યુ દરમિયાન પોલીસકર્મીઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે . સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસકર્મીઓ એક ગલીને નાકે ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી.
પંજાબમાં આજે ફરી ઘટના બની
પોલીસ કર્મી પર કરવામાં આવ્યું ફાયરિંગ
પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડ્યો
પંજાબમાં ફરીદકોર્ટમાં પોલીસકર્મીઓ ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે કર્ફ્યુના માહોલની વચ્ચે તેમના પર ફાયરિંગ થયાની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. તંત્ર દોડતું થયું છે. જોકે હજું સુધી એ સ્પષ્ટ થઈ શક્યુ નથી કે ફાયરિંગ કોણે કર્યુ છે. પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. તેમજ ઉચ્ચ અધિકારીઓનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પટિયાલામાં કર્ફયુ પાસ માગવા પર નિહંગોએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસ કર્મીનો હાથ કપાઈ ગયો હતો. જેને પગલે પોલીસે 7 જેટલા લોકોની ધરપકડ કરી હતી.