મધ્યપ્રદેશના ગુનામાં બુધવારે મોડી રાતે 60થી વધુ મજૂરોને લઈને જઈ રહેલી બસનો એક્સીડન્ટ થયો હતો. આ ઘટનામાં 8 મજૂરોના મોત થયા હતા. અને 50થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં રોડવેઝ બસે મજૂરોને કચડી દીધા છે. તેમાં 6 લોકોના મોત થયા છે. આ સાથે બિહારમાં પણ એક્સીડન્ટ થયો હતો, જેમાં 2 મજૂરોના મોત થયા છે.
મધ્યપ્રદેશના ગુનામાં 8 મજૂરોના મોત
યૂપીના મુઝફ્ફરનગરમાં બસે 6 મજૂરોને કચડ્યા
બિહારમાં એક્સીડન્ટમાં 2 મજૂરોના મોત
કોરોના અને લોકડાઉનના કારણે પોતાના વતન જઈ રેહલા મજૂરોની સાથે 3 પ્રદેશોમાં મોટી ઘટનાઓ બની છે. મધ્યપ્રદેશના ગુનામાં બુધવારે મોડી રાતે 60થી વધારે મજૂરોની બસનો એક્સીડન્ટ થયો હતો. આ ઘટનામાં 8 મજૂરોના મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં પણ બસે મડૂરોને કચડી દીધા હતા. તેમાં 6ના મોત થયા છે. બિહારમાં પણ 2 મજૂરોના એક્સીડન્ટમાં મોત નીપજ્યા છે.
પોલીસના આધારે બુધવારે મોડી રાતે ગુનાના કૈંટ વિસ્તારમાં મજૂરોની બસ અને ટ્રકમાં ટક્કર થઈ હતી. આ ઘટનામાં 8 મજૂરોના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 50થી વધારે ઘાયલ થયા છે. ઘાયલોની સ્થાનીય જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરેક મજૂરો મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશ જઈ રહ્યા હતા.
Madhya Pradesh: 8 labourers dead & around 50 injured after the truck they were travelling in, collided with a bus in Cantt PS area in Guna last night. Injured persons shifted to district hospital.All the 8 killed labourers were going to their native places in UP from Maharashtra. pic.twitter.com/OaB9SCLpjY
પોલીસનું કહેવું છે કે બસ અને ટ્રકમાં યાત્રીઓ સવાર હતા. દરેક લોકો કોરોનાના કારણે ઘરે જઈ રહ્યા હતા. મોડી રાતે 2-3 વાગે બસ અને ટ્રકની ટક્કર થઈ. તેમાં 8 લોકોના મોત થયા અને 50થી વધારે લોકો ઘાયલ થયા, ઘટના સ્થળેથી ટ્રક ડ્રાઈવર ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે.
6 migrant workers who were walking along the Muzaffarnagar-Saharanpur highway killed after a speeding bus ran over them late last night, near Ghalauli check-post. Case registered against unknown bus driver. pic.twitter.com/s81e7gpYkH
આ પહેલાં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં એક રોડવેઝ બસે મડૂરોને કચડી દીધા હતા. સહરાનપુર રોડ પર બુધવારે આ ઘટનામાં 6 મજૂરોના મોત થયા અને 2 ઘાયલ થયા છે. આ મજૂરો પંજાબમાં કામ કરતાં હતા અને પગપાળા પોતાના ઘરે બિહારના ગોપાલગંજ જઈ રહ્યા હતા. મુઝફ્ફરનગર પોલીસના આધારે રોહાનાના સહારનપુર -મુઝફ્ફરનગર સ્ટેટ હાઈવે પર ઘટના થઈ. પંજાબથી બિહાર પોતાના ઘરે પગપાળા જઈ રહેલા વોકો ઘરે પાછા ફરી રહ્યા હતા. એક ડઝન મજૂરોને બેકાબૂ રોડવેઝ બસે કચડી દીધા હતા. મજૂરોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. ડોક્ટરોએ 6 ઘાયલ મજૂરોને મૃત જાહેર કર્યા અને અનેક ઘાયલની સારવાર ચાલી રહી છે.
બિહારમાં પણ સડક દુર્ઘટના
બિહારના સમસ્તીપુર જિલ્લાના ઉજિયાપુરના વિસ્તારના શંકરપુર ચોકની પાસે બસ અને ટ્રકની ટક્કર થઈ હતી. આ ઘટનામાં 2 મજૂરોના મોત થયા હતા અને 5થી વધુ ઘાયલ થયા હતા. આ દરેક મજૂરોના મુઝફ્ફરપુરથી કટિહારની તરફ જઈ રહ્યા હતા. આ લોકો મુંબઈથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.