લૉકડાઉન 4 લાગૂ થતાંની સાથે જ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આ કારણે મોદી સરકારે નોકરિયાતોના પગારને લઈને મોટો નિર્ણય લીધો છે. અગાઉ કંપનીઓએ પૂરા પગાર આપવાની જાહેરાત કરી હતી પણ સાથે જ હવે મોદી સરકારે નિયમમાં બદલાવ કર્યો છે. નિયમના આધારે કંપનીઓ હવે કર્મચારીઓને પૂરો પગાર આપવા બંધાયેલી નથી. જેનાથી કર્મચારીઓને ઝટકો લાગ્યો છે.
મોદી સરકારે લૉકડાઉન ખૂલતાં જ બદલ્યો નિયમ
કંપનીઓ માટે રાહત તો કર્મચારીઓને માટે મુશ્કેલી
હવે કંપનીઓ કર્મચારીઓને લૉકડાઉનનો પગાર આપવા બંધાયેલી નથી
મોદી સરકારે લૉકડાઉનના કર્મચારીઓને વેતન આપવાનો પોતાનો જૂનો નિર્દેશ પાછો લઈ લીધો છે. હવે કંપનીઓ આ માટે બંધાયેલી નથી કે લૉકડાઉનના સમયની કર્મચારીઓને પૂરી સેલેરી આપે. કેન્દ્ર સરકારે અગાઉ જાહેર કરેલા તમામ નિયમોમાં કંપનીઓ અને કર્મચારીઓને કહ્યું કે કંપનીઓ બંધ થવાની સ્થિતિમાં તેઓએ કર્મચારીઓને પૂરો પગાર આપવાનો રહેશે.
શું હતો પહેલાં સરકારનો નિર્દેશ
ઉલ્લેખનીય છે કે ગૃહસચિવ અજય ભલ્લાએ લૉકડાઉન લગાવ્યું ત્યારથી થોડા દિવસ બાદ 29 માર્ચે જાહેર કરેલા દિશા નિર્દેશમાં ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ કંપનીઓ અને અન્ય એમ્પ્લોયરોને કહ્યું હતું કે, ઓફિસ બંધ હોય તો પણ તે મહિનાનો પૂરો થવા પર કોઈ પણ કપાત વિના તમામ કર્મચારીઓને સંપૂર્ણ પગાર આપે.
દેશભરમાં 25 માર્ચથી લૉકડાઉન લાગૂ છે. 18મેથી લૉકડાઉન 4 શરૂ થયું છે. ગૃહમંત્રાલયે જાહેર કર્યું કે જે મકાન માલિકો ભાડા માટે પ્રવાસી કામદારો પર દબાણ કરી રહ્યા છે અથવા મકાન ખાલી કરવા કહી રહ્યા છે તે મકાન માલિકોની વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આ આદેશ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાના એક આદેશમાં કહ્યું છે કે લૉકડાઉન દરમિયાન પૂર્ણ પગાર ન આપતી કંપનીઓ સામે સરકારે કોઈ શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ નહીં. સરકારના આ આદેશને કર્ણાટકની કંપની ફિકસ પેક્સ પ્રા.લિ. દ્વારા પડકારવામાં આવ્યો હતો, જેના આધારે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. ખાનગી કંપનીઓએ કહ્યું કે આ હુકમ મનસ્વી છે અને બંધારણની કલમ 19 (1) (જી) નું ઉલ્લંઘન કરે છે, જેમાં તેઓને ધંધા કે વ્યવસાય કરવાની બાંયધરી આપવામાં આવી છે.
શું કહેવાયું છે નવા નિર્દેશમાં
ગૃહ સચિવ અજય ભલ્લાએ લૉકડાઉનના ચોથા ચરણને લઈને રવિવારે નવા નિર્દેશ જાહેર કર્યા છે. રવિવારે ગૃહમંત્રાલયે જે નિર્દેશ જાહેર કર્યા છે તેમાં 6 પ્રકારના માનક પરિચાલનના પ્રોટોકોલની જાહેરાત છે.