ઔદ્યોગિક પ્રોત્સાહન અને આંતરિક વ્યાપાર વિભાગે ગૃહમંત્રાલયને પત્ર લખીને સૂચન કર્યું છે કે કેટલાક પ્રમુખ સેક્ટરને સુરક્ષાની સાથે ફરીથી શરૂ કરવામાં આવે. DPIITએ કહ્યું કે આર્થિક ગતિવિધિમાં સુધાર લાવવા માટે અને લોકોના હાથમાં રૂપિયા પહોંચતા કરવા માટે હવે આ સેક્ટરમાં થોડી છૂટ આપવામાં આવે તે જરૂરી છે.
કોરોનાનો કહેર વધતાં લૉકડાઉન 2ની શક્યતા
ઈન્ડસ્ટ્રી સેક્ટરને ફરી સુરક્ષા સાથે શરૂ કરવાની માંગ
ગૃહમંત્રાલયને કરવામાં આવ્યું સૂચન
શા માટે જરૂરી છે ઢીલ?
ઔદ્યોગિક પ્રમોશન અને આંતરિક વેપાર વિભાગ (ડીપીઆઇઆઇટી) એ ગૃહ મંત્રાલયને એક પત્ર લખીને સૂચવ્યું છે કે કેટલાક મહત્ત્વના ક્ષેત્રો અને પ્રવૃત્તિઓમાં જરૂરી સુરક્ષા પગલાંથી કામ શરૂ કરી શકાય છે. ડીપીઆઇઆઇટી દ્વારા આવા મહત્વના ક્ષેત્રોની સૂચિ પણ આપવામાં આવી છે. ડીપીઆઇઆઇટીએ કહ્યું છે કે, "આ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓને સુધારવા અને લોકોના હાથમાં રૂપિયા લાવવા માટે જરૂરી છે."
કયા સેક્ટરમાં કામ શરૂ થવું જોઈએ?
ડીપીઆઇઆઇટીએ ગૃહ મંત્રાલયને સૂચન આપ્યું છે કે ભારે ઇલેક્ટ્રિકલ અને ટેલિકમ્યુનિકેશન્સ જેવા સેક્ટરમાં સાવચેતી પગલા સાથે મર્યાદિત સ્તરે કામ શરૂ કરવાની મંજૂરી હોવી જોઈએ. સાવચેતીનાં પગલાંથી શિફ્ટમાં કામ કરવા દેવાતા ઉદ્યોગોમાં, વિભાગ પાસે ઓપ્ટિક ફાઇબર કેબલ્સ, કોમ્પ્રેશર્સ અને કન્ડેન્સર એકમો, સ્ટીલ અને ફેરસ એલોય મિલો, પાવરલૂમ્સ, પલ્પ અને કાગળ એકમો, ખાતરો, પેઇન્ટ્સ, પ્લાસ્ટિક, વાહન એકમો, રત્ન અને ઝવેરાતનાં તમામ એકમો અને સેઝ અને નિકાસલક્ષી એકમોને ફરીથી ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે.
ઉદ્યોગોને ઓછામાં ઓછા સ્ટાફ સાથે અને વ્યવસ્થિત સ્વચ્છતાના ધોરણો જાળવી રાખીને શરુ કરવાની પરવાનગી આપી શકાય છે.
1. ટ્રાન્સફોર્મર્સ, સર્કિટ વેહીકલ્સ જેવા હેવી ઇલેક્ટ્રિક વસ્તુઓ બનાવતા ઉદ્યોગ
2. ઓપ્ટિક ફાઈબર જેવા ટેલિકોમ સાધનો બનાવતા ઉદ્યોગ
3. કોમ્પ્રેસર અને કન્ડેન્સર યુનિટ્સ
4. સ્ટીલ અને ફેરસ એલોય મિલ્સ
5. સ્પિનિંગ, જિન મિલ્સ, પાવરલુમ્સ
6. ડિફેન્સના સાધનો બનાવતા ઉદ્યોગ
7. સિમેન્ટ પ્લાન્ટ્સ
8. પલ્પ અને પેપર યુનિટ્સ
9. ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સ
10. પેઇન્ટ અને ડાઇ મેન્યુફેક્ચરિંગ
11. તમામ ફૂડ અને બેવરેજ બનાવતા ઉદ્યોગ
12. બિયારણના પ્રોસેસિંગ યુનિટ્સ
13. પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ
14. ઓટોમોટિવ યુનિટ્સ
15. જવેલરી સેક્ટર
16. SEZ અને EOUની અંદર કાર્યરત તમામ યુનિટ્સ
(આ માટે શરતોના પાલનની જવાબદારી જે તે ડેવલપમેન્ટ કમિશનરને અપાશે) આ ઉપરાંત જે ઉદ્યોગોને છૂટ મળી છે અને ચાલુ છે તે તમામ ઉદ્યોગો તો ચાલુ જ રહેશે. તે સિવાય મોબાઈલ, AC, ફ્રીઝ, પ્લમ્બિંગ વગેરે જેવા રીપેરીંગ સર્વિસને અને ધોબી, વાળંદ જેવી સેવાઓને છૂટ આપી શકાય છે પરંતુ આ સેવાઓમાં ભીડ એક્ઠી ન થઇ જાય તેનું ધ્યાન રાખવું પડશે.
જરૂરી ટ્રાંસપોર્ટ પણ શરૂ કરવામાં આવે
આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે શ્રમિકોને કામના સ્થળે રહેવાની પરમિશન મળે તો આવાસ અને નિર્માણ ક્ષેત્રનું કામ પણ શરૂ થઈ શકે છે. વિભાગના રાજ્યોની વચ્ચે અને રાજ્યોની અંદર દરેક પ્રકારના પરિવહનના વાહનોને ચલાવવાની અનુમતિ આપવાની માંગ પણ કરી છે. તેઓએ પત્રમાં લખ્યું છે કે આર્થિક સ્થિતિમાં સુધાર અને લોકોના હાથમાં રૂપિયા પહોંચાડવા માટે આ પગલું લેવું જરૂરી છે.
આ જરૂરી સુરક્ષા ઉપાયો લેવામાં આવે
જો કે ગૃહમંત્રાલયે આ પત્રનો કોઈ જવાબ આપ્યો નથી. વિભાગના સૂચન પર કામકાજ શરૂ કરવાની પરમિશન આપવામાં આવે એ શક્ય છે. તેમાં એક જ જગ્યાએથી કર્મચારીઓના પ્રવેશ, સામાજિક દૂરી બનાવી રાખવા માટે પૂરતી જગ્યા, કર્મચારીઓને લાવવા લઈ જવા માટેને અલગ વ્યવસ્થા તથા કારખાનામાં રહેવાની વ્વસ્થાની સાથે સાફ સફાઈની વ્યવસ્થા પણ કરવામાં આવે.