કેરળમાં કોરોનાને કારણે સૌથી ખરાબ પરિસ્થિતી સર્જાઈ છે. અહીયા છેલ્લા 24 કલાકમાં 173 લોકોના મોત થતા મોદી સરકાર પણ દોડતી થઈ ગઈ છે.
કેરળમાં કોરોના સંક્રમણ બેકાબૂ
24 કલાકમાં 173 લોકોના મોત
અત્યાર સુધીમાં 21 હજાર લોકોના મોત
કેરળમાં કોરોના સંક્રમણ અટકાવનું નામજ નથી લઈ રહ્યું. છેલ્લા 24 કલાકમાં અહીયા 32803 જેટલા કેસ નોંધાયા છે. સાથેજ 173 લોકોના મોત થયા છે. જેથી આકડાઓ પરથી તમે પરિસ્થિતીનો અંદાજ લગાવી શકો છો. અત્યાર સુધીમાં અહિીયા 21 હજાર જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્ર સરકાર પણ ચિંતામાં
આપને જણાવી દઈએ કે કેરળમાં હાલ કુલ 2,29,912 જેટલા એક્ટિવ કેસ છે. જેના કારણે ત્યાર સરકારની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સાથે કેન્દ્ર સરકાર પણ અહીયાની પરિસ્થિતીને લઈને ઘણી ગંભીર જોવા મળી રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ લોકડાઉન કરવાની સલાહ આપી
કેરળમાં સંક્રમણ કાબૂમાં આવે તેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી દ્વારા પણ ઘણા સલાહ સૂચનો આપવામાં આપવામાં આવ્યા છે. જેમા સૌથી પહેલાતો જે પણ જગ્યાએ વધારે કેસ છે તેવી જગ્યાઓ પર લોકડાઉન કરવા માટે સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે કેરળ સરકારને આંશિક લોકડાઉન કે ક્યાતો સંપૂર્ણ લોકડાઉન કરવાની પણ સલાહ આપી છે.
સિરોપ્રવલેંસ સ્ટડીની અનુમતી મળી
પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને કેરળના સ્વાસ્થ્ય મંત્રીએ જોર્જે રાજ્યમાં સિરોપ્રવલેંસ સ્ટડીની અમુમતી આપી દિધી છે. આ સ્ટડી દ્વારા એ જાણી શકાશે કે કેટલા લોકોના બોડીમાં વાયરસ સામે લડવા એન્ટીબોડી બની ગઈ છે. જેથી આ સ્ટડીથી એ વસ્તુ જાણી શકાશે કે કેટલા લોકોમાં જોખમ વધારે જોવા મળી રહ્યું છે.
વનેક્સિનેશન પર સરકારનો ભાર
ઉલ્લેખનીય છે કે સિરોપ્રવલેંસ સ્ટડીમાં એવું સામે આવ્યું કે કેરળમાં હાલ 42.07 ટકા લોકો કોરોના સામે લડવા સક્ષમ છે. જોકે હાલ કેરળ સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અહીયા વેક્સિનેશન પર સૌથી વધારે ભાર આપવામાં આવી રહ્યો છે.