ભારતમાં સતત કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો હોઇ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ, ગત 24 કલાકમાં 54 દર્દીઓના મૃત્યુ થયા તો કોરોના કેસ 20 હજારની ઉપર પહોંચ્યા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 20,408 નવા કેસ
20,958 રિકવરી અને 54 મૃત્યુ થયાનું સામે આવ્યું
સક્રિય કેસ 1,43,384 તો સામે દૈનિક હકારાત્મકતા દર 5.05%
ભારતમાં સતત કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો હોઇ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક સાથે 20,408 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. આ સાથે 20,958 દર્દીઓ સાજા થયા તો સામે 54 લોકોના મૃત્યુ નોંધાયા છે. આ તરફ દેશમાં કોરોનાના 1,43,384 સક્રિય કેસ છે. તો દૈનિક હકારાત્મકતા દર 5.05% છે.
દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ
દેશમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોઇ સતત નવા કેસોમાં વધારાને કારણે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ભારતમાં આજે કોરોના વાયરસના નવા 20,408 દર્દી નોંધાયા છે. જેને લઈ આરોગ્ય તંત્ર કોરોના સંક્રમણ રોકવા કામએ લાગ્યું છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 54 લોકોના મૃત્યુ થય હોવાનું પણ સામે આવ્યું છે. આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.
COVID-19 | India reports 20,408 fresh cases, 20,958 recoveries, and 54 deaths in the last 24 hours.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં એક સાથે 20,408 કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. આ તરફ હવે દેશમાં હાલ સક્રિય કેસનો આંકડો 1,43,384એ પહોંચ્યો છે. નોંધનિય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં સતત વધારાને લઈ દેશમાં ચિંતાજનક સ્થિતિ બની છે.