વિશ્વ કોરોનાની ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કામાં છે ત્યારે ફરી આ વિકસિત દેશોમાં વધી રહેલી કેસ સંખ્યાએ ચિંતામાં વધારો કર્યો છે.
કોરોનાની ત્રીજી લહેરથી બેહાલ બ્રિટન-અમેરિકા
11 દિવસમાં બ્રિટન-અમેરિકામાં બમણા નવા કેસ
રોજ 36 થી 56 હજાર કોરોનાના નવા કેસ
WHO એ કરેલ જાહેરાત મુજબ વિશ્વ હાલ કોરોનાની ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. જે દેશોમાં કોરોનાના પ્રતિરોધાત્મક નિયંત્રણો પણ હટાવી દેવામાં આવ્યા હતા તેમજ મોટાપાયે વેકસીનેશન થઈ ચૂક્યું હતું એવા દેશોમાં પણ ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે.
અમેરિકા સહિતના વિકસિત દેશોમાં વકરતી પરિસ્થિતિ
અમેરિકામાં દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા 25 દિવસમાં 350 ટકા કેસ વધ્યા. અમેરિકામાં અત્યાર સુધી 48 ટકા વેક્સિનેશન થયુ છે. તો સ્પેનમાં તો પરિસ્થિતિ મોટાપાયે વકરતી જોવા મળી રહી છે. સ્પેનમાં પ્રથમ વખત એક જ દિવસમાં 44 હજાર કેસ નોંધાયા તો બ્રિટનમાં એક જ દિવસમાં 48553 કોરોનાના કેસ નોંધાયા હતા. એશિયન દેશોમાં હાલ ઈન્ડોનેશિયા કોરોનાના કેસની દ્રષ્ટિએ એશિયાનું એપી સેન્ટર બની ગયું છે.
AIIMS ના નિર્દેશક ડૉક્ટર રણદીપ ગુલેરીયાએ આપ્યા સૂચનો
AIIMS ના નિર્દેશક ડૉક્ટર રણદીપ ગુલેરીયાએ ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપી છે. તેમણે કહ્યું કે જો બધા જ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા તો હવે પછીની ત્રીજી લહેર બીજી લહેર કરતાં પણ વધુ ભયાનક હશે. તેમણે કહ્યું કે લોકોમાં ઇમ્યુનિટી ઓછી હોવી અને લોકડાઉન પરથી પ્રતિબંધ હટાવી લેવોએ ત્રીજી લહેરનું કારણ બની શકે. તેમણે કહ્યું કે આ પ્રતિબંધો રાખવામાં આવશે તો વાયરસ પણ સ્થિર થશે અને કોરોનાના કેસ વધુ પ્રમાણમાં વધશે નહીં. એટલે જેટલો વધુ પ્રતિબંધ એટલા કેસો ઓછા. વધુમાં તેમણે વેક્સિનને લઈ કહ્યું કે હાલમાં જે રસી છે તેમાં થોડો બદલાવ કરવામાં આવી શકે છે જો કોરોનાના નવા વેરિયન્ટ સામે આવે તો. કોરોનાની ત્રીજી લહેરની અસર બીજા શહેરોમાં જોવા મળી છે પણ ત્યાં હોસ્પિટલમાં દર્દીઓનો દર ઘણો જ ઓછો છે.
મણિપુરમાં 10 દિવસ લૉકડાઉન
દેશમાં કોરોનાનો નવો ડેલ્ટા વેરિયન્ટ ફરી આતંક મચાવી રહ્યો છે. આ બધા વચ્ચે મણિપુરમાં ઘણા બધા કેસો સામે આવ્યા છે. ત્યાંની સરકારે દ્વારા કોરોનાની ચેઇન તોડવા માટે 10 દિવસનું લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે. આ લોકડાઉન 18 જુલાઇથી લાગુ પડશે. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂ રહેશે, સ્વાસ્થ્ય વિભાગના કહ્યા મુજબ કોરોનાના વધતાં કેસોની ચેઈન તોડવા માટે થઈને આ લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે આ લોકડાઉનની જાહેરાત કહ્યું છે કે આ કર્ફ્યૂ દરમ્યાન આવશ્યક સેવાઓ સિવાય રાજ્યમાં બધી જ સેવાઓ બંધ રહેશે. માત્ર રસીકરણ અને ટેસ્ટ કરવા માટે બહાર નીકળવાની પરમીશન આપવામાં આવી છે. જો ત્યાંના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1,104 કેસો સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 17 લોકોના મૃત્યુ થયા હતા.
આ કારણે વધી રહ્યા છે કેસ
WHO ના મત અનુસાર ઘણા દેશોમાં નિયંત્રણો હટાવવાનુ દબાણ વધી રહ્યું છે પરંતુ જો સાવચેતી નહીં રાખવામાં આવે તો સંક્રમણ ગંભીર રીતે વધી શકે છે. તો જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના સંક્રામક રોગ વિશેષજ્ઞ ડો. ડેવિડ ડાઉડીએ કહ્યું હતું કે એ ઓળખવું ખૂબ જરૂરી છે કે કોરોનામાં વિસ્ફોટક રીતે સંક્રમણ ફેલાવવાની ક્ષમતા છે. ઘણા દેશોમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોમાં પણ ઢીલાશ રાખવામાં આવી રહી છે. ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી પોતાનો રંગ બતાવી રહ્યો છે ત્યારે હવે 111 દેશો ડેલ્ટા વેરિયન્ટથી પ્રભાવિત થઈ ચૂક્યા છે.
ગાંધીનગર અને વારાણસી વચ્ચે ટ્રેન શરૂ થવી એ સોમનાથની ધરતીને વિશ્વનાથની ધરતી સાથે જોડવાનું કામ છે : PM મોદી
વૈશ્વિક આંકડા
વિશ્વમાં હવે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 18.93 કરોડથી વધુ થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 40.76 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના કેસની સંખ્યામાં ભારત વિશ્વમાં બીજા અને મૃતકોની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને છે. સંક્રમણની સ્થિતિમાં બ્રાઝિલ ત્રીજા સ્થાને છે અને કોરોનાને કારણે થતાં મૃત્યુના મામલે વિશ્વમાં બીજા ક્રમે છે. અમેરિકામાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 6.23 લાખ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. હવે ડેલ્ટા વેરિયન્ટ પણ આતંક મચાવી રહ્યો છે.
ડેલ્ટા વેરિયન્ટનો આતંક
દુનિયાના ઘણા દેશોમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે તબાહી મચી જવા પામી છે. આર્જેન્ટિનમાં મહામારીના કારણે મૃતકોની સંખ્યા એક લાખથી ઉપર પહોંચી ગઇ છે. આ અઠવાડિયે રશિયામાં કોરોનાના કારણે થતાં મૃત્યુની દૈનિક સંખ્યા સૌથી વધારે નોંધાઈ હતી. બેલ્જિયમમાં ડેલ્ટા વેરિયન્ટના કેસોની સંખ્યા બમણી થઈ જવા પામી હતી. મ્યાનમારના સ્મશાનો સવારથી સાંજ સુધી વ્યસ્ત રહેતા હોવાના સમાચારો આવી રહ્યા છે તો ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કારણે ફરી નિયંત્રણો વધારી દેવામાં આવ્યા છે.