છેલ્લા સાત દિવસમાં કોરોના દ્વારા સંક્રમણનો આંકડો પણ બમણો થયો છે એ મુજબ 2671 નવા કેસ નોંધાયા છે જેમાંથી મોટાભાગના નવા કેસો મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણી રાજ્યોમાંથી સામે આવ્યા છે.
રવિવારે કોવિડ -19ના આટલા કેસ સામે આવ્યા
ધીરે ધીરે વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
ગુજરાત સહિત આ રાજ્યોમાં વધી રહ્યું છે સંક્રમણ
એક તરફ દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝાના કેસ સતત વધી રહ્યા છે, તો બીજી તરફ કોવિડના કેસોમાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે 114 દિવસમાં પહેલી વખત દેશમાં 11 માર્ચે એક જ દિવસમાં કોરોનાના તાજા કેસ 500ના આંકડાને પાર કરી ગયા હતા. આ સાથે જ આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 11 દિવસમાં આ સંખ્યા સાત દિવસની સરેરાશ સાથે બમણી થઈ ગઈ છે. જો કે રાહતની વાત એ છે કે કોરોના દર્દીઓની કુલ સંખ્યા હજુ પણ પ્રમાણમાં ઓછી છે અને વાયરસના કારણે મૃત્યુમાં કોઈ વધારો થયો નથી. આ સાથે જ જણાવી દઈએ કે છેલ્લા સાત દિવસમાં કોરોનાને કારણે માત્ર 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.
રવિવારે કોવિડ -19ના આટલા કેસ સામે આવ્યા
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર રવિવારે 114 દિવસ પછી, એક દિવસમાં કોવિડ -19 ના 524 નવા કેસ નોંધાયા હતા. નોંધનીય છે કે અગાઉ 18 નવેમ્બર 2022ના રોજ 500 નવા કેસ નોંધાયા હતા. આ સાથે હાલ દેશમાં કોરોનાની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 3,618 થઈ ગઈ છે. આ સાથે જ કેરળમાં સંક્રમણને કારણે એક દર્દીનું મોત થયું હતું જે બાદ કોવિડના કારણે કુલ મૃત્યુઆંક વધીને 5,30,781 થઈ ગયો છે.
ધીરે ધીરે વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
છેલ્લા સાત દિવસમાં કોરોના દ્વારા સંક્રમણનો આંકડો પણ બમણો થયો છે જે મુજબ છેલ્લા સાત દિવસમાં 2671 નવા કેસ નોંધાયા છે જેમાંથી મોટાભાગના નવા કેસોમાં કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોમાંથી સામે આવ્યા છે. નોંધનીય છે કે છેલ્લા 11 દિવસમાં ભારતમાં દૈનિક કેસોની સાપ્તાહિક સરેરાશ બમણી થઈ ગઈ છે. 28 ફેબ્રુઆરીએ આ સરેરાશ 193 હતી, તે 11 માર્ચે વધીને 382 થઈ છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં વધી રહ્યું છે સંક્રમણ
દક્ષિણના રાજ્યોમાં સંક્રમણની સંખ્યામાં ઘણો વધારો થયો છે. નોંધનીય છે કે મહારાષ્ટ્ર અને દક્ષિણી રાજ્યોમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. શનિવારના રોજ છેલ્લા સાત દિવસમાં ત્રણ રાજ્યો કર્ણાટક (584), કેરળ (520) અને મહારાષ્ટ્ર (512)માં કોરોનાના 500 થી વધુ નવા કેસ નોંધાયા છે. સાથે જ ઓછામાં ઓછા 100 નવા કેસ નોંધાયેલા રાજ્યોમાં ગુજરાતમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓ ચાર ગણા વધી ગયા છે.
મૃત્યુઆંકમાં નથી થયો વધારો
મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાથી સાજા થવાનો દર વધીને 98.80 ટકા થઈ ગયો છે જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઈટ અનુસાર ભારતભરમાં વેકશીનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના 220.64 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશના ઘણા રાજ્યોમાં કેસ વધી રહ્યા છે પણ રાહતની વાત એ છે કે મૃત્યુઆંક વધ્યો નથી.