કોરોનાથી સંક્રમિત લોકો ટ્રીટમેન્ટ બાદ ઘરે આવે ત્યારે તેમને વીકનેસ આવી ગઇ હોય છે પરંતુ જો સ્વાદ અને ગંધ ન આવે તો ગભરાવવાની જરૂરી નથી.
કોરોના રિકવરી બાદ થાય છે તકલીફ ?
સૂંઘવાની ક્ષમતા ગુમાવી બેઠા છો ?
આ ઘરેલૂ ઉપચાર અપનાવો
દર્દીઓ ઓછુ ખાય છે
જે પેશન્ટને સ્વાદ કે ગંધ નથી આવી રહી તે લોકોમાં ખાવાની ઇચ્છા નથી થતી. કોરોનાના કારણે પહેલાથી કમજોરી અને સ્વાદ ન મળવાથી પેશન્ટનું વજન ઘટવા લાગે છે. આવા પેશન્ટને વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય છે.
ડૉક્ટરને કનસલ્ટ કરો
કોઇ વસ્તુની ગંધ મહેસૂસ ન થાય તેને એનોસ્મિયા કહેવામાં આવે છે. જેને પણ આ પ્રકારની સમસ્યા હોય તેઓએ ગભરાવવાની જરૂર નથી. તાત્કાલિક ડૉક્ટરને કનસલ્ટ કરો અને દવા લો
વાયરસ કરે છે પ્રભાવિત
નાકની અંદર ઉપરના ભાગમાં નાના છેદમાં સૂંઘવાની સહાયક સંવેદી કોશિકાઓ હોય છે. કોરોનાની તંત્રિકાની સહાયક કોશિકાને પ્રભાવિત કરે છે જેના કારણે આ પ્રકારની સમસ્યા થાય છે.
તપાસ અને ઇલાજ
રિકવરીના 4 થી 5 મહિના બાદ પણ સૂંઘવાની ક્ષમતા પાછી નથી આવતી તો એક્સપર્ટની સલાહ લો. નાકની દુરબીનથી તપાસ કરાવી લો અને નેઝલ સ્પ્રેનો ઉપયોગ કરો.
એક્સપર્ટ અનુસાર તેજ ગંધને વારંવાર સૂંઘવા માટે કહેવામાં આવે કારણકે કપૂર હિંગ, સરસવનું તેલ દિવસમાં 15 થી 20 સેકન્ડ સુધી સુંઘવાની સલાહ આપવામાં આવે છે.