બિહાર સહિત દેશભરમાં કોરોના દર્દીઓના કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. લોકડાઉનની સ્પસ્ટ અસર જોવા મળી રહી હોવાનું મનાઈ રહ્યું છે.
બિહાર સહિત દેશમાં દેખાઈ રહી છે લોકડાઉનની અસર
રવિવારે બિહારમાં 6 હજાર કેસો મળ્યાં
20 જિલ્લામાં 100 થી વધારે સંક્રમિતોની ઓળખ થઈ
પટણા એમ્સમાં 20 બેડનો નવો બ્લેક ફંગસ વોર્ડ બન્યો
બિહારમાં રવિવારે 6000 કરતા પણ ઓછા કેસો નોંધાયા તો રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. રાજધાની દિલ્હીમાં કોરોનાની ગતિ ખૂબ ધીમી પડી છે. છેલ્લા ચોવીસ કલાકમાં ફક્ત 6456 કેસો આવ્યાં છે.લોકડાઉનને કારણે યુપીના ઘણા શહેરોમાં પણ રાહત લાગી રહી છે.
રાજધાની દિલ્હીમાં કોરોનાની ગતિ ખૂબ ધીમી પડી છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ફક્ત 6456 કેસો આવ્યાં છે. દિલ્હી સીએમ કેજરીવાલ લોકડાઉન લંબાવવાનું કારણ આપ્યું.કેજરીવાલે જણાવ્યું કે કોવિડ-19 ની સામેના જંગમાં આપણને જે લાભ મળ્યો છે તેને અચાનક કોઈ પણ પ્રકારની છૂટ આપીને ન ખોઈ શકાય. તેમણે કહ્યું કે રાજ્ય માટે ચોથી લહેર અત્યંત ખતરનાક બની શકે છે. જીવન બચાવવા માટે લોકોને ઘરમાં રાખવા જરુરી છે. કેજરીવાલે વધુમાં જણાવ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટી છે અને રિકવરી વધી છે પરંતુ અમે આ લાભને ગુમાવી દેવા માંગતા નથી તેથી લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવી દેવાયું છે.
દિલ્હીમાં કોરોનાની ઝડપને રોકવા માટે લગાવવામાં આવેલું લોકડાઉન ફરી એક અઠવાડિયા માટે લંબાઈ ગયું છે. સીએમ અરવિંદ કેજરીવાલે કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે 17મેના રોજ પૂર્ણ થતું લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સીએમએ વેક્સીનની કમી પર કેન્દ્ર સરકારને ચિઠ્ઠી પણ લખી છે.
26 એપ્રિલ બાદથી નવા કેસમાં ધીરે-ધીરે ઘટાડો આવ્યો
સીએમએ જણાવ્યું કે દિલ્હીમાં લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. 26 એપ્રિલ બાદથી નવા કેસમાં ધીરે-ધીરે ઘટાડો આવ્યો છે અને પાછલા બે ત્રણ દિવસમાં સંક્રમણના દરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે લોકડાઉનનો ઉપયોગ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનને મજબૂત કરવામાં થયો.