નાણાં મંત્રી નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની 41મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે અર્થતંત્ર હાલમાં અસાધારણ પ્રાકૃતિક આપત્તિનો સામનો કરી રહ્યું છે. જેના પરિણામસ્વરૂપ અર્થવ્યવસ્થામાં હજુ પણ સંકટ આવી શકે છે. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી એ ઈશ્વર દ્વારા મોકલાયેલું સંકટ છે અને તેનાથી પરિસ્થિતિઓ હજુ વધુ બગડી શકે છે.
કોરોના સંકટ એ કુદરતની કરતૂત: નાણાંમંત્રી
GST કાઉન્સિલની 41મી બેઠકમાં નાણાંમંત્રીનું વિધાન
હજુ વધુ બગડી શકે છે પરિસ્થિતિઓ : ફાઇનાન્સ મિનિસ્ટર
કેન્દ્ર સરકારે ગુરુવારના રોજ GST ટેક્સની આવકમાં ગાબડું પડતાં તેની ભરપાઇ માટે રાજ્યો દ્વારા ઋણ લેવા માટે તેમની સામે બે વિકલ્પો રાખ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં GST આવકમાં 2.35 લાખ કરોડ રૂપિયાની ઘટ પાડવાનું અનુમાન છે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે અર્થતંત્ર હાલમાં એક પ્રાકૃતિક સંકટનો સામનો કરી રહ્યું છે, અને કોરોના એક કુદરતી આપત્તિ છે જેનાથી સ્થિતિ હજુ વધુ ગંભીર બનવાની શક્યતાઓ છે.
શું વિકલ્પો આપ્યા છે કેન્દ્રે ?
કેન્દ્રે રાજ્યોને આવકમાં ઘતને બેલેન્સ કરવા માટે બજારમાંથી ઉધાર લેવાનું કહ્યું છે. કેન્દ્રના આ નિર્ણયનો બિન ભાજપ અથવા નોન NDA શાસિત રાજ્યો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રના આકલન અનુસાર રાજ્યોને આ વર્ષે ઘટની ભરપાઈ કરવા માટે 3 લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે. જેમાં 65000 કરોડની ભરપાઇ માટે GSTની અંદર લગાડવામાં આવેલા ઉપકરથી તેની આવક થશે. આ ઘટ 2.35 લાખ કરોડ રૂપિયા જેટલી હોઇ શકે છે.
કેન્દ્રીય કર સચિવ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે આમાં 97000 કરોડ રૂપીયા GSTની ઘટના લીધે છે જ્યારે બીજા કોવિડ 19ના લીધે છે.
કેન્દ્રીય સચિવે જો કે તેમ પણ જણાવ્યું હતું કે રાજ્યોને આ બાબતે રિજર્વ બેન્ક સાથે વિમર્શ કર્યા બાદ બે વિકલ્પ ઉપલબ્ધ કરાવાયા છે. આ રકમ રાજ્યોને 2022ના અંતમાં GST ઉપકરના સંગ્રહ માંથી કરી શકાય છે. જો કે બીજો વિકલ્પ 2.35 લાખ કરોડની રાજ્યો લોન લઈ લે તે રીતેનો છે. આ વિચારવા માટે 7 દિવસનો સમય રાજ્યોને આપવામાં આવ્યો છે
શું કહેવું છે નોન NDA રાજ્યોનું ?
નોન NDA રાજ્યોનું કહેવું છે કે કરની આવકની ઘટને પૂર્ણ કરવી કેન્દ્રની જવાબદારી છે. જ્યારે કેન્દ્રનું કહેવું છે કે તે કાનૂની વિમર્શના હિસાબે તેના માટે બંધનકર્તા નથી. જો કે બિહારની સરકાર અન્ય રાજ્યો માટે બજારથી ઉધાર લઈને લેવાની યોજનાનું સ્વાગત કરી રહી છે.