તાપમાનમાં વધારો થતાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. હવે દેશની નામાંકિત ટોચની સંસ્થાના અધ્યક્ષે પણ આ વાતની પુષ્ટિ કરી છે. નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (નીરી) દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે સરેરાશ દિવસના તાપમાનમાં વધારો અને કોરોના ચેપમાં ઘટાડો વચ્ચે 85 થી 88 ટકા વચ્ચેનો ખાસ સંબંધ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના આ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જેટલું ઊંચું તાપમાન તેટલો વાયરસ ઓછો ફેલાય છે.
કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર
તાપમાન વધતાં ઘટે છે કોરોનાનું સંક્રમણ
નીરીએ એક અધ્યયનમાં કર્યો ખુલાસો
આ અધ્યયનમાં ભારપૂર્વક પણ ભાર મૂકવામાં આવ્યો છે કે ભારતમાં અત્યંત ગીચ વસ્તીને જોતા, તાપમાન અને ભેજને કારણે સામાજિક અંતર અને લૉકડાઉન જેવા પગલાઓ પર આધાર રાખવો જોઈએ નહીં, કારણ કે તે અહીંની પરિસ્થિતિઓમાં ખૂબ અસરકારક સાબિત થઈ રહ્યા છે. કોરોનાના વધતા જતા કેસોના સંદર્ભમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દિવસના સરેરાશ તાપમાન અને ભેજને લગતા સંબંધમાં થયેલા એક અધ્યયનમાં બહાર આવ્યું છે કે મહારાષ્ટ્રમાં વધતા તાપમાન સાથે કોરોનાનો પ્રકોપ 85 ટકા ઘટ્યો છે, કર્ણાટકમાં તાપમાનમાં વધારો અને કોરોના ઘટવાને લઈને 88 ટકા સંબંધ હોવાનું જાણવા મળ્યું છે.
આટલા તાપમાને વધે છે કોરોના સંક્રમણની શક્યતા
અધ્યયનમાં સ્પષ્ટ થયું છે કે કોરોના વાયરસ ઠંડા અને શુષ્ક વાતાવરણમાં લાંબું જીવે છે. ઉદાહરણ તરીકે, તે 21-23 ડિગ્રી તાપમાનમાં સખત સપાટી પર 72 કલાક સુધી ટકી શકે છે.
25 ડિગ્રીથી ઉપરના તાપમાનમાં કેસમાં થયો ઘટાડો
નીરાના અભ્યાસ અનુસાર જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તાપમાન અને સાપેક્ષિક આદ્રતાના આંકડાનું મૂલ્યાંકન કરાયું તો જાણવા મળ્યું કે 25 ડિર્ગી કે તેની ઉપરના દૈનિક તાપમાને કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. એમ પણ કહેવાયું છે કે ભારતના પર્યાવરણ તુલનાત્મક રીતે કોરોના સંક્રમણ રોકવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યું છે.
ઠંડીમાં વધારે સક્રિય બને છે કોરોના
જે કોરોના વાયરસનો દુનિયામાં કોહરામ મચ્યો છે તેની ઉપર અન્ય કોરોના વાયરસના લિપિડનું એક લેયર હોય છે. ઠંડીમાં બહારનું લેયર કડક બને છે અને તેની ઉપર અન્ય એક પરત આવે છે. વાયરસ વધુ લચીલો બને છે. આ કારણે આવી ઠંડીમાં તે વધારે સક્રિય બને છે.