દેશમાં કોરોનાની સ્થિતિ સતત કાબુમાં આવતી જોવા મળી રહી છે. દેશમાં 190 દિવસ બાદ 20 હજારથી ઓછા સંક્રમિત મળ્યાં છે, જ્યારે 170 દિવસ બાદ સૌથી ઓછા સક્રિય દર્દીઓની સંખ્યા નોંધવામાં આવી છે.
દેશમાં સતત બીજા દિવસે 300થી ઓછા દર્દીઓનો મોત
રવિવારે સતત બીજા દિવસે દેશમાં સંક્રમણથી મરનારની સંખ્યા 300થી ઓછી થઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રવિવારના સવારના આંકડા મુજબ જૂનના અંત સપ્તાહથી લઇને 1 જુલાઇ સુધી દેશમાં રોજના 20 હજાથી ઓછા દર્દીઓ મળી રહ્યાં હતા. અંતમાં 1 જુલાઇ, 2020ના રોજ 18,653 દર્દીઓ મળ્યાં હતા.
છેલ્લા 24 કલાકના આંકડા
છેલ્લા 24 કલાકમાં 18,732 દર્દી મળ્યા છે, જ્યારે 21,43 દર્દીઓ સાજા થઇ ગયા અને 279 દર્દીઓના મૃત્યું થયા છે. દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,01,87,850 થઇ ગઇ છે. જેમાં 97,61,538 સ્વસ્થ થઇ ગયા છે, જ્યારે અત્યાર સુધીમાં 1,47,622 દર્દીઓના મૃત્યું થયા છે.
સ્વસ્થ દર્દીઓનો સરેરાશ દર 96 ટકા
170 દિવસ બાદ સક્રિય દર્દીઓની સંખ્યા 2,78,690 થઇ ગઇ છે, જે કુલ કેસની માત્ર 2.74 ટકા છે. 10 જુલાઇ, 2020ના દેશમાં 2,76,682 દર્દી હતા. 17 ડિસેમ્બર સુધી આ સંખ્યા 10 લાખ ઉપરપહોંચી ગઇ હતી, જે અત્યારે ઝડપથી ઘટી રહી છે. 24 કલાકમાં 2,977 સક્રિય દર્દી ઓછા થયા છે. સાજા થનારા દર્દીઓનો સરેરાશ દર 95.82 ટકા છે. દરેક રાજ્યમાં આ દર 90 ટકાથી વધારે છે, જે અન્યદેશની સરખામણીએ વધારે છે. મૃત્યુદર 1.45 ટકા છે.
10 રાજ્યમાં 77 ટકા નવા દર્દીઓ મળ્યાં
કેરળ માત્ર એક એવું રાજ્ય છે, જ્યા રોજ મળનારા દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. છેલ્લા 1 દિવસમાં 10 રાજ્યમાં 77 ટકા નવા દર્દીઓ મળ્યાં છે. જેમાં એકલા કેરળમાં 3,527 દર્દી નોંધાયા છે. આ 10 રાજ્યમાં રિકવરી દર 72 ટકા છે, જ્યારે 75 ટકા મૃત્યું આ જ રાજ્યમાં થઇ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 60 અને પશ્ચિમ બંગાળમાં 33 દર્દીઓના મૃત્યું થયા છે.
તપાસનો આંકડો અંદાજે 17 કરોડ પહોંચ્યો
ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR) મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 16,81, 02,657 સેમ્પલની તપાસ થઇ ગઇ છે. જેમાં 9,43,368 સેમ્પલની તપાસ શનિવારનો રોજ થઇ છે. 4.51 લાખ તપાસ RTPCR ટેકનીકથી થઇ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધારે 49,189, કર્ણાટકમાં 12,059, તામિલનાડુંમાં 10,437, દિલ્હીમાં 9,569, પશ્ચિમ બંગાળમાં 8,293 અને ઉત્તર પ્રદેશમાં 7,092 મૃત્યું થયા છે.