ગુજરાતમાં ફરી કોરોનાએ ચિંતા વધારી છે એક જ દિવસમાં નોંધાયા 23 કેસ નોધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું , જૂનાગઢમાં એક દર્દીનું સારવાર દરમિયાન મુત્યું નિપજ્યું છે.
ગુજરાતમાં કોરોનાથી વધતી ચિંતા
કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 180 થઈ
રાજ્યમાં આજે કોરોનાના 23 કેસ નોંધાયા
ગુજરાતમાં ધીમા પગલે ફરી આવી રહ્યો છે કોરોના વાયરસ.અત્યારે ચેતીને નહિ ચાલો તો નવરાત્રી -દીવાળી બગડી શકે છે કેમ કે ડેલ્ટા વેરિયન્ટ ફરી સક્રિય થતા સુરતમાં સ્થિતિ વિકટ બની છે, રાજ્યમાં કોરોના વાયરસની મહામારીનો લગભગ અંત આવી ગયો એવું સમજી લેવાની બિલકુલ જરૂર નથી કેમ કે ધીમે પગલે પાછો કોરોના પગ પેસારો કરી રહ્યો છે.
જૂનાગઢના 1 દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ
છેલ્લા 24 કલાકમાં 23 નવા કેસ નોંધાયા છે. જ્યારે 14 દર્દી સાજા થયા છે. તો રાજ્યમાં 32મા દિવસે કોરોનાથી એકનું મોત થયું છે. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. સૌથી વધુ 7 કેસ વલસાડમાં નોંધાયા છે. જ્યારે 4 શહેર અને 28 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો છે.
ગુજરાતમાં કોરોનાને કારણે વધુ એક મૃત્યુ
ગુજરાતમાં અત્યારે ફરી એકવાર કોરોના સંક્રમણ દક્ષિણ ગુજરાતના સુરતથી બિલ્લીપગે આગળ ધપી રહ્યું હોય તેવા અણસાર છે. કોરોના જાણે વિદાય લઇ ગયો હોય તેમ બજારોમાં ભીડ ઉમટી પડી છે.ત્યારે, વ્યાપારીઓ પણ ગ્રાહક ભાગી નાં જાય તેનું ધ્યાન રાખવામાં સોશિયલ ડીસ્ટન્સ સહિતની નિર્દેશિકા ભૂલી ગયા છે..નવરાત્રી દરમિયાન અંબાજી,સહિતના મંદિરો ભાવિકો માટે ખુલ્લા રહેશે.પણ મંદિર વ્યવસ્થાપન પણ હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ માટે તમામ ગાઈડ લાઈનનું પાલન કેવી રીતે કરાવી શકે.? ભાવિકો એ પોતે જ વ્યક્તિગત જવાબદારી સમજી ભીડ-ભાડમાં વાળી જગ્યાએ જઈને કોરોના સંક્રમણ વાહક બનવાથી દૂર રહેવું જોઈએ.
રાજ્યમાં આજે કોરોનાના 23 કેસ નોંધાયા
નવરાત્રી બાદ દીવાળીનો તહેવારો આવે છે અને તહેવારોની સિઝન શરૂ થશે એવામાં કોરોના સંક્રમણનો ખતરો વધી જાય તેવું લાગી રહ્યું છે ગુજરાતની જનતાએ માત્ર જોયું જ નથી અનુભવ્યું પણ છે કે, ગત વર્ષે દીવાળીના તહેવારો દરમિયાન જે રીતે નાગરીકો પ્રવાસન ક્ષેત્રમાં ઉમટી પડ્યા હતા તેના પરિણામે,કોરોના સંક્રમણની બીજી અને કાળમુખી લહેર ફરી વળી હતી. ત્યારે દીવાળીના બે-ત્રણ મહિના બાદ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીવેળા તો રીતસર દાટ વળી ગયો અને રાજકીય પક્ષોની ભીડ અને પાર્ટીના સમર્થકો જાણે,કોરોનાને હાથ રૂમાલ સમજતા હોય તેમ વર્તન કરતા જોવા મળ્યા .જેના પરિણામ ગુજરાતે વહાલા -સ્વજનો,પરિચિતો,સંબંધી ગુમાવી પોતાની જાતને સાંત્વના આપતા રહ્યા અને બીજાને કોસતા રહ્યા.
ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકા
મહત્વનું છે કે સંક્રમણ ફરી વધી રહ્યું છે ત્યારે જો વાત કરવામાં આવે તો ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 58ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકા જ્યારે મૃત્યુઆંક 10 હજાર 83 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 15 હજાર 780 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 180 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 177 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે જૂનાગઢના દર્દીનું સારવાર દરમિયાન થયું મૃત્યુ છે. જો કે એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 8 કેસ સુરતમાં નોંધાયા
આજે 5.12 લાખ નાગરિકોનું થયું વેક્સિનેશન
વલસાડમાં 7 કેસ, ખેડામાં 2 અને રાજકોટમાં 2 કેસ નોંધાયા અને અમદાવાદ અને જૂનાગઢમાં 1-1 કેસ, હાલ રાજ્યમાં આજે 5.12 લાખ નાગરિકોનું થયું વેક્સિનેશન તો અત્યાર સુધી ગુજરાતમાં વેક્સિનના 6.25 કરોડથી વધુ ડોઝ અપાયા છે.