યુપીમાં કોરોનાએ જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. અહીં એક છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 20,510 કેસ નોંધાયા છે.
યુપીમાં કોરોનાથી સ્થિતિ બદથી બદતર બની રહી છે
ચોવીસ કલાકમાં કોરોનાના નવા 20,510 કેસ નોંધાયા
સક્રિય દર્દીઓની સંખ્યા 1,11,835 થઈ છે
વસતીની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં કોરોનાથી સ્થિતિ બદથી બદતર બની રહી છે. યુપી આરોગ્ય વિભાગના એસીએસ અમિત મોહન પ્રસાદ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અુસાર રાજ્યમાં 20,510 કેસ નોંધાયા છે. આ સાથે સક્રિય દર્દીઓની સંખ્યા 1,11,835 થઈ છે.
સીએમ યોગી આદિત્યનાથ કોરોના પોઝિટીવ
આજે સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને જાણકારી આપી કે શરૂઆત લક્ષણો દેખાતા કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો જે બાદ રિપોર્ટ પોઝિટિવ આવી છે. હું સેલ્ફ આઇસોલેશનમાં છું અને ડૉક્ટરોના નિર્દેશના પાલન કરી રહ્યો છું તથા બધા જ કામ વર્ચ્યુઅલી કરી રહ્યો છું. સીએમ યોગીએ કહ્યું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે બધા જ પોતાનો ટેસ્ટ કરાવી લે અને સાવધાની રાખે. રાજ્યની સરકારની બધી જ ગતિવિધિઓ સામાન્ય રૂપથી ચાલુ જ છે.
અખિલેશ યાદવ પણ પોઝિટિવ
નોંધનીય છે કે આજે જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અખિલેશ યાદવ હાલ ઘરે જ આઇસોલેશનમાં છે અને સારવાર લઈ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષાઓ મોકૂફ થઈ ગઈ
અન્ય રાજ્યોમાં પરીક્ષાઓને લઈને નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં ઉત્તરપ્રદેશમાં 24 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવી છે અને મહારાષ્ટ્રમાં પણ બોર્ડની પરીક્ષાઓને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર જૂન મહિનામાં બોર્ડની પરીક્ષા લેવા માટે વિચાર કરી રહી છે.