દેશમાં કોરોનાની ત્રીજી લહેરના સમાચારોની વચ્ચે રાહતના સમાચાર આવી રહ્યા છે.
અત્યાર સુધી 84.11 કરોડ લોકોનું રસીકરણ થયું
24 કલાકમાં દેશમાં કોરોનાના 31, 382 નવા મામલા
નવા 318 મોતની સાથે મરનારાની સંખ્યા વધીને 4, 46, 368 થઈ
અત્યાર સુધી 84.11 કરોડ લોકોનું રસીકરણ થયું
રાષ્ટ્રવ્યાપારી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 84.11 કરોડ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. હાલની સ્થિતિની વાત કરીએ તો દેશમાં સક્રિય મામલા હવે 1 ટકાથી ઘટીને 0.89 ટકા થઈ ચૂક્યા છે. માર્ચ 2020 બાદથી સંક્રમિતોના સૌથી ઓછા આંકડા છે. દેશમાં રિકવરી રેટ પણ 97.78 ટકા છે.
નવા 318 મોતની સાથે મરનારાની સંખ્યા વધીને 4, 46, 368 થઈ
સવારે 8 વાગે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર 318 મોતની સાથે મરનારાની સંખ્યા વધીને 4, 46, 368 થઈ છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના 31, 382 નવા મામલા નોંધાયા છે. જ્યારે 32, 542 લોકો કોરોનાથી સાજા થઈ ઘરે પાછા ફર્યા છે. મંત્રાલયે કહ્યું કે સક્રિય મામલામાં કુલ સંક્રમણના 0.89 ટકા છે. જે માર્ચ 2020 બાદ સૌથી ઓછા છે. જ્યારે દેશમાં કોરોનાનો રિકવરી રેટ 97.78 ટકા નોંધાયો છે. જે માર્ચ 2020 બાદથી સૌથી વધારે છે.
દેશમાં હજું પણ 3, 00, 162 સક્રિય મામલા
ત્યારે કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો દેશમાં હજું પણ 3, 00, 162 સક્રિય મામલા છે. દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીની કુલ સંખ્યા, 3, 28,48, 273 થઈ ચૂક્યા છે. ગત વર્ષ માર્ચની સરખામણીએ કોરોનાનો રિકવરી રેટ 97.78 ટકાની સાથે ટોપ પર છે. દેશમાં કોરોના ટેસ્ટની કુલ સંખ્યા 55.59 કરોડ છે. ત્યારે અઠવાડિક પોઝિટિવિટી રેટ ગત 91 દિવસોમાં 3 ટકા ઘટીને 2.07 ટકા નોંધાયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ગત 25 દિવસોમાં 3 ટકા ઘટીને 2 ટકા નોંધાયો છે.