દેશમાં હાલમાં પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. 6 રાજ્યો એવા છે, જ્યાં ચિંતાજનક સ્થિતી વર્તાઈ રહી છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
દેશમાં કોરોનાના કેસોને લઈને હાલમાં ચિંતા વ્યાપેલી છે.એક બાજૂ જ્યાં અમુક રાજ્યો એવા છે, જ્યાં કોરોનાના આંકડા દરરોજ વધી રહ્યા છે, તો વળી અમુક રાજ્યો એવા પણ છે, જ્યાંથી રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોનાની સ્થિતીને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે જાહેર કરેલી પ્રેસમાં જણાવ્યું છે, જેમાં તેમણે મહામારીની હાલની સ્થિતી અને આંકડા તથા તેનાથી બચાવની વાત કરી છે.
જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે પ્રેસ કોન્ફ્રેંસમાં જાણકારી આપતા જણાવ્યું કે, ઓવરઓલ પોઝિટિવિટી રેટ લગભગ 17 ટકા છે. તો વળી દેશમાં કોરોનાના હાલમાં બે લાખથી વધારે એક્ટિવ કેસ છે. તેમણે કહ્યું કે, હાલના સમયમાં કેટલાય એવા રાજ્યો છે, જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારે થઈ રહ્યો છે. જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ અને તમિલનાડૂ જેવા રાજ્યોમાં દર્દીઓના આંકડા ટેન્શન વધારી રહ્યા છે. કોન્ફ્રેંસમાં મંત્રાલયે રાજ્ય અને જિલ્લાવાર કોરોનાની સ્થિતી પર પણ વાત કરી હતી.
આ રાજ્યમાં વધી રહ્યા છે કોરોનાના કેસો
કર્ણાટક
કેરલ
તમિલનાડૂ
ગુજરાત,
આંધ્રપ્રદેશ
રાજસ્થાન
આ રાજ્યમાં આંકડામાં આવી રહ્યો છે ઘટાડો
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
દિલ્હી
ઓડિશા
હરિયાણા
પશ્ચિમ બંગાળ
આ જિલ્લામાં વધી રહ્યા છે કેસો, ચિંતા વધી
પુણે
એર્નાકુલમ
નાગપુર
આ જિલ્લામાં ગતિ ધીમી પડી
બેંગલુરૂ
ચેન્નઈ
ગૌતમ બુદ્ધ નગર
કોડિકોડ (કેરલ)
સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે, એક્ટિવ કેસોના મામલે ટોપ 10 રાજ્ય કુલ એક્ટિવ કેસ બાબતે 77 ટકાથી વધારે યોગદાન આપી રહ્યા છે, તો વળી 90 ટકાથી વધારે એક્ટિવ કેસ હોમ આઈસોલેશનમાં છે. ઓક્સિજન અને આઈસીયુ બેડની જરૂરિયાતવાળા કેસો ખૂબ ઓછા દેખાઈ રહ્યા છે. તો વળી એક્ટિવ કેસની સંખ્યા સામે મોતના આંકડા ખૂબ જ ઓછા છે. મંત્રાલયે જણાવ્યું કે, જ્યારે અમેરિકા અને યુરોપિય સંઘની સાતે સરખામણી થાય છે તો ભારત આ સમયે મહામારીમાં સારા લેવલ પર છે.
જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, દિલ્હીમાં જે મૃત્યુ થયા છે. તેમાં 64 ટકાએ કોઈ વેક્સિન લીધી નહોતી અને તેમને અન્ય બીજી ગંભીર બિમારીઓ પણ હતી. તો વળી અમુક રાજ્યોમમાં રસીકરણ હાલમાં પણ ઓછું છે. તેમને અનુરોધ છે કે તે રસીકરણને પ્રોત્સાહન આપે. વળી બૂસ્ટર ડોઝને રદ કરવાની વાત પર જોઈન્ટ સેક્રેટરીએ કહ્યું કે, આવા તમામ રિપોર્ટ ખોટા છે. જે એવું કહે છે કે, બૂસ્ટર ડોઝ પર સરકાર કોઈ નિર્ણય લેવા જઈ રહી છે. તેને રદ કરવાની જેવી કોઈ ચર્ચા હાલમાં થઈ નથી.