“મેને આજ હમારે યહા કુરાન પઢવાયા ઓર દુઆ કરવાઇ કે અલ્લા ઇસ બીમારી સે હમે ઓર પુરી દુનિયા કે સભી જાતીકે લોગ કી હીફાઝત કરે કોરોના જેસી બીમારી સે બચાયે આમીન”આ પ્રકારની પોસ્ટ ગઇકાલે જામલપુરના કયુમ કુરેશી નામના વ્યકિતએ સોશિયલ મીડીયા પર મુકતા કમીશ્નરના જાહેરનામાના ભંગની એસીતેસી કરી નાખી છે.
કોરોના માટે લોકોએ ભેગા થઇને દુઆ માંગી
કમિશનરના જાહેરનામાનો થયો ભંગ
નોંધાઇ પોલીસ ફરિયાદ
કયુમ કુરેશીનો ઇરાદો ખોટો નથી પરંતુ જ્યારે શહેરમાં સીઆરપીસી 144 લાગુ કરી દેવામાં આવી હોય અને લોકડાઉન કરવામાં આવ્યુ હોય ત્યારે આ પ્રકારે ભેગા થઇને દુઆ કરવી તે કોરોના નોતરી શકે તેમ છે.
લોકડાઉનની એસીતેસી કરીને બહાર નીકળેલા લોકો સામે તંત્રની લાલઆંખ
કોરોના વાયરસના કારણે આખો દેશ થથરી ગયો છે ધીમેધીમે કોરોના વાયરસથી ચેપ લાગવાના કેસો વધી રહ્યા છે ત્યારે હવે સરકારે પણ કોરોના સામે લડત આપવા માટે સજ્જ થઇ છે. કેન્દ્રસરકાર અને રાજ્ય સરકારે કોરોનાને નાબુદ કરવા માટે મેડીકલી તમામ તૈયારીઓ કરી દીધી છે તો બીજી તરફ કોરોનાની અવગણના કરનાર લોકો જે સરકારે આપેલા લોકડાઉનની એસીતેસી કરીને બહાર નીકળી રહ્યા છે તેમના વિરુદ્ધમાં લાલ આંખ કરી છે.
કલમ 144 ના જાહેરનામા ભંગ બદલ 43 લોકો વિરુધ્ધ નોંધાઇ ફરિયાદ
ગઇકાલે રાત્રે અમદાવાદ પોલીસને સીઆરપીસી 144 ના જાહેરનામા ભંગ બદલ 43 લોકો વિરુધ્ધમાં ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ સાથે વહેલી સવારથી પોલીસ રોડ પર આવી ગઇ હતી અને બીનજરુરી બહાર નીકળતા લોકોને સબખ શીખવાડીને તેમને ઘરે પરત મોકલી દીધા હતા.
કયુમ કુરેશીએ લોકોને ભેગા કરીને દુઆ કરતા ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા
ખાડીયામાં જનતા કર્ફ્યુના દિવસે લોકો રોડ પર આવી ગયા બાદ સોશિયલ મિડીયામાં વીડીયો વાયરલ થયો હતો જેમાં પોલીસ 19 લોકો વિરુધ્ધમાં નામજોગ ફરિયાદ કરી હતી જ્યારે ગઇકાલે ફેસબુક પર કયુમ કુરેશીએ લોકોને ભેગા કરીને દુઆ કરતા ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા છે. ચાર કરતા વધુ વ્યકિતઓ ભેગા ના થઇ શકે ત્યારે કયુમે જમાલપુરમાં લોકોને ભેગા કરીને દુઆ કરી હતી જે કમીશ્નરના જાહેરનામાનો ભંગ બને છે. આ મામલે કેટલાક જાગૃત નાગરીકે પોલીસ કમીશ્નર આશિષ ભાટીયાને આ ફોટોગ્રાફ્સ તેમના વોટ્સએપમાં પોસ્ટ કરીને જાણકારી આપી હતી.