ગુજરાતમાં કોરોનાના કેસ હવે માત્રા નામના જ રહ્યા છે. તો બીજી તરફ વેક્સિનેશન અભિયાન પણ યુદ્ધના ધોરણે ચાલું છે અને સંભિવત ત્રીજી લહેરની આશંકાને ધ્યાને રાખીને અમદાવાદમાં ફરી ટેસ્ટિંગ સેન્ટર કરવામાં આવ્યા છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર અગાઉ તંત્ર એલર્ટ
ત્રીજી લહેરના ભણકારા વચ્ચે ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયા
30 જેટલા રેપિડ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા
રાજ્યમાં કોરોનાની બીજી લહેરની મહામારીના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને રિકવરી રેટ પણ હવે 98.73 ટકાએ પહોંચી ગયો છે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટની રહ્યું છે ત્યારે આજે કોરોનાનાં નવા 29 કેસ નોંધાયા છે. જો કે ગઇકાલની સરખામણીએ કોરોનાના નવા 5 કેસનો વધારો થયો છે. તો રાજ્યમાં આગોતરા પગલાના ભાગરૂપે ફરી ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાયા છે.
30 જેટલા ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાતા અનેક તર્ક-વિતર્ક
ઉલ્લેખનીય છે કે, ત્રીજી લહેરના ભણકારા વચ્ચે અમદાવાદ મનપા દ્વારા શહેરમાં બંધ કરાયેલા 30 જેટલા ટેસ્ટિંગ સેન્ટર ફરી શરૂ કરાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. 30 ડોમમાં રોજ 100 ટેસ્ટ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. 50 રેપિડ એન્ટિજન ટેસ્ટ અને 50 આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે. જો કે, અચાનક અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ રીતે શહેરમાં 30 જેટલા ડોમ શરૂ કરવામાં આવતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયાં છે.
પહેલા માત્ર અર્બન હેલ્થ સેન્ટરમાં જ કરાતા હતા કોરોના ટેસ્ટ
આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે ઘટી રહ્યો છે. તો રાજ્યમાં ત્રીજી લહેરની સાવધાની રૂપે યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. જો કે, રસીકરણ અભિયાનની સાથે મનપા દ્વારા કોરોના ટેસ્ટિંગ સેન્ટર બંધ કરવામાં આવ્યા હતા અને માત્ર અર્બન હેલ્થ સેન્ટર પર જ કોરોનાના ટેસ્ટ કરવામાં આવતા હતા. જો કે, અમદાવાદમાં એકાએક 30 ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાતા છૂપી રીતે કશું રંધાઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
મંગળવારે રાજ્યમાં કોરોનાનાં નવા 29 કેસ નોંધાયા છે. જો કે ગઇકાલની સરખામણીએ કોરોનાના નવા 5 કેસનો વધારો થયો છે.
કોરોનાથી આજે એક પણ દર્દીનું મૃત્યુ નહીં
બીજી તરફ રાજ્યમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી જેને લઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે આ તરફ એક જ દિવસમાં 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10 હજાર 76 લોકોને કોરોના ભરખી ગયો છે. જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 411 દર્દી સારવાર હેઠળ છે. જો કે નાજુક સ્થિતિના કારણે 5 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે જ્યારે 406 દર્દીની હાલત સ્થિર જણાઈ રહી છે
રાજ્યમાં 24 કલાકમાં 61 દર્દી સ્વસ્થ થયા
રાજ્યના મોટા શહેરમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પરતું હજુ પણ સંભવિત ત્રીજી લહેરનો ખતરો જોવાઈ રહ્યો છે. હાલ મહાનગરોમાં પણ કોરોનાની રફતાર ધીમી પડી છે...અમદાવાદમાં 6, સુરતમાં 4 અને વડોદરામાં 7 કેસ નવા કેસ નોંધાયા છે...તો રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.