ભરૂચમાં એક દિકરી પોતાના પિતાને દોઢ વર્ષ બાદ મળવા પહોંચી ત્યારે તેને કલ્પનામાં પણ વિચાર આવ્યો નહીં હોય કે, તેને પોતાના પિતાનો ચહેરો પણ જોવા મળશે નહીં
ભરૂચની એક દિકરીનું હૈયાફાટ રૂદન તમારું હૃદય ચીરી નાંખશે
દોઢ વર્ષ બાદ ઘરે આવેલી દિકરીને પિતાના અંતિમ સંસ્કારમાં જવુ પડશે
કોરોનાના કારણે દિકરી ઘરે આવી શકી નહોતી
ભરૂચમાં એક પિતાનું મોત અને તેની દિકરીનું રૂદન જોઈ લોકોની આંખમાં પણ આંસૂ આવ્યા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. પરંતુ એક દિકરીની હાલત શું છે. તે કોઈ વીડિયો સમજાવી શકે તેમ નથી. ભરૂચમાં એક દિકરી પોતાના પિતાને દોઢ વર્ષ બાદ મળવા પહોંચી ત્યારે તેને કલ્પનામાં પણ વિચાર આવ્યો નહીં હોય કે, તેને પોતાના પિતાનો ચહેરો જોવા પણ મળશે નહીં.
કોરોનાના કારણે આ દિકરી છેલ્લા દોઢ વર્ષથી પોતાના પરિવાર પાસે આવી શકી નહોતી. પરંતુ જ્યારે આવી ત્યારે તેને કહેવામાં આવ્યું કે, તેમના પિતાને કોરોના થયો છે. અને તેમની હાલત નાજૂક છે. દિકરી આ હાલતમાં પણ પોતાના પિતાને મળવા માગતી હતી. પરંતુ દિકરી મળી શકે તે, પહેલા જ પિતાનું અવસાન થઈ ગયું હતું.
62 વર્ષના કમલ કિશોર મુદ્રાં અને તેના પત્નીને થયા હતો કોરોના
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલા કાસ્ટા એપાર્ટમેન્ટમાં 62 વર્ષના કમલભાઈ અને તેમના પત્નીને કોરોના થયો હતો. સારવાર માટે બંને વ્યક્તિ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. પરંતુ કમલભાઈની હાલતમાં કોઈ ફરક પડી રહ્યો નહોતો. તબીબોએ પણ ખૂબ મહેનત કરી તેમને બચાવવા માટે કોશિશ કરી હતી. પરંતુ ઈશ્વરની સામે તો સૌ કોઈ લાચાર છે. કોરોનાની સામે કમલ કિશોર મુંદ્રા હારી ગયા હતા. અને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
પિતાને મળી પણ શકી નહીં અને અંતિમ દર્શન પણ કરી શકી નહીં
ભરૂચના કમલ કિશોર મુદ્રાંની દિકરીનું નામ નેહા છે. લગ્ન બાદ 32 વર્ષની નેહાના નાગપુર ખાતે રહેતી હતી. અને દોઢ વર્ષથી નેહા કોરોનાના કારણે ઘરે આવી શકી નહોતી. તો થોડા સમય અગાઉ પિતાની તબિયત વિશે નેહાને જાણ થઈ હતી. જે બાદ નેહા ઘરે આવવા નિકળી ગઈ હતી. પણ જ્યારે નેહા ભરૂચ પહોંચી ત્યારે સ્થિતિ કંઈક બીજી જ હતી. નેહાના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. અને કોરોનાના કારણે મૃત્યુ થયુ હોવાથી મળી શકાયું નહોતું. તો આથી મોટી કમનસીબી એ પણ સર્જાઈ કે, પિતાના મૃતદેહના અંતિમ દર્શન પણ થઈ શક્યા નહીં.