અમદાવાદમાં વિધાર્થીઓ PG ખાલી કરી પોતાના વતનમાં જવા રવાના થવા લાગ્યા છે. જેને લઈને PG ચલાવતા માલિકોની ફરી એકવાર કફોડી હાલત બની છે .
અમદાવાદમાં કોરોનાની અસર વિદ્યાર્થીઓ પર
PG હાઉસ છોડી વિદ્યાર્થીઓ ઘર તરફ નિકળ્યા
PG હાઉસ છોડીને જતાં માલિકોને પણ મુશ્કેલી
શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું છે જેને લઈને અમદાવાદમાં વિધાર્થીઓએ મજબૂરીમાં સ્વયંભૂ લોકડાઉન કરવાની પડી ફરજ પડી છે. ખાસ કરીને વિધાર્થીઓ PG ખાલી કરી પોતાના વતનમાં જવા રવાના થવા લાગ્યા છે. જેને લઈને PG ચલાવતા માલિકોની ફરી એકવાર કફોડી હાલત બની છે.
કોલેજ બંધ થતાં વિધાર્થીઓ PG છોડી જતાં રહેતા હોવાથી સંચાલકો મુંઝવણમાં મુકાયા છે. તેઓનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષમાં માંડ 1 મહિનો PG ચાલ્યું અને ફરી બંધ થયું છે. અમે ઊંચા ભાડા આપી PGના મકાન રાખેલા અને હવે મકાનોનું ભાડું ચૂકવી શકીએ. તેટલા પણ પૈસા અમારી પાસે રહ્યા નથી.
રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. રાજ્યમાં કોરોનાના વધતાના સંક્રમણને કારણે મહાનગરોમાં 31 માર્ચ સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં મુકવામાં આવ્યો છે. રાજ્યમાં 10 એપ્રિલ સુધી શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. ત્યારે અમદાવાદ ફરી એકવાર ગુજરાતનું હોટસ્પોટ બની રહ્યું છે. શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આથી અમદાવાદ શહેરમાં મોલ–મલ્ટીપ્લેક્ષ શનિ-રવિ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે. અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 108 પર પહોંચી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં બોડકદેવ સ્થિત પ્રયાગ રેસિડેન્સીમાં 200 નાગરિકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
પ્રયાગ રેસીડેન્સીમાં A બ્લોકમાં 1,2 અને 3 માળ અને બી બ્લોકમાં 7,8 અને 9 માળ માઈક્રો કન્ટેન્મેન્ટન ઝોનમાં મુકવામાં આવ્યા છે. આગામી સાત દિવસ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવિષ્ટ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. માઈક્રો કન્ટેનમેન્ટઝોનમાં મુકાયેલા મકાનોમાં પ્રવેશબંધી માટે પતરા લગાવવામાં આવ્યા છે.